[૧૪૪] સફરનુ અંતર આબાદીની હદ સુધી ગણાશે

Chapter : નમાઝ

(Page : 194-195)

સવાલ :– કોઈ માણસ સફરના ઈરાદાથી નીકળ્યો, પણ તેને જે જગ્યા જવું છે તે શહેર અથવા ગામ શરઈ સફરથી એક કિલોમીટર ઓછું છે, પણ શહેર કે ગામની અંદર જ્યાં જવું છે, ત્યાં તે મુસાફિર બની જાય છે, તો તે મુસાફિર ગણાશે કે કેમ ? દા. ત. મેં ઘરથી ભરૂચ મુહમ્મદપુરાનો ઈરાદો કર્યો, પણ ઘેરથી ભરૂચ સ્ટેશન અથવા ભરૂચની હદ જ્યાંથી શરૂ થાય છે ત્યાં સફરના પૂરા કિલોમીટર થતા નથી, પણ મુહમ્મદપુરામાં સફરના કિલોમીટર પૂરા થાય છે, તો તે મુસાફરી ગણાય કે કેમ ?

જવાબ :– સફરની શરૂઆત આબાદીની હદ બહારથી ગણાય છે અને વાપસીનો સફર પણ આબાદીની હદ સુધી જ બાકી ગણાય છે, આબાદીની હદના અંદરના એરિયામાં ન જતી વખતે મુસાફિર બને છે, ન આવતી વખતે મુસાફિર બાકી રહે છે, એ વાતની ચોખવટ ફિકહની કિતાબોમાં મવજૂદ છે, પરંતુ સફર કરીને જે શહેરમાં જવું છે,  તો સફરે શરઈના અંતરમાં તે શહેરની હદ સુધીનું અંતર મોઅતબર ગણાશે. એ વિશેની ચોખવટ ફિકહની કોઈ કિતાબમાં નજરે પડી નથી, પરંતુ સફરના અંત અને વતને ઈકામતના મસાઈલથી માલૂમ પડે છે કે સફરે શરઈના અંતરમાં જે તે શહેરની હદ સુધીનું જ અંતર મોઅતબર ગણાશે. શહેરમાં જે સ્થળે જવું છે ત્યાં સુધીનું અંતર મોઅતબર નહિં ગણાય.(શામી–૧/પ૩ર, તહતાવી કમ મરાકી : ર૩૧)

Log in or Register to save this content for later.