[૩૦ર] બીજા દેશમાંથી ૩૦મો રોઝહ રાખી ઈન્ડિયામાં આવનાર અહિંયાં ૩૧મો રોઝહ રાખે

Chapter : રોઝહ

(Page : 367-368)

સવાલ : – હું અબૂધાબી જયાં અહિંયાં ભારત કરતાં બે દિવસ વહેલી રમઝાન શરૂ થઈ હતી, ત્યાંથી અહિંયાં રજા ઉપર આવ્યો ત્યારે અહિંયાંના લોકોનો ર૮ મો રોઝો અને એ દિવસે મારો ૩૦મો રોઝો હતો, બીજા દિવસે એટલે કે જયારે અહિંયાં ર૯મો રોઝો હતો તે દિવસે મારો ૩૧ મો રોઝો થયો, મારો એ રોઝો નફલમાં ગણાશે અથવા મારે ૩૦ રોઝા પૂરા કરી ૩૧મો રોઝો ન રાખવો જોઈએ. ભલે, અહિંયાં રમઝાન ચાલુ હોય ?

જવાબ :– ચાહે અહિંયાંની ર૮મી રમઝાને તમારે ૩૦ રોઝા પુરા થઈ ગયા હોય, પરંતુ તમારા ઉપર અહિંયાં આવ્યા પછી અહિંયાંના ટાઈમ ટેબલ મુજબ ૩૧મો રોઝો રાખવો પણ ઝરૂરી છે. તમારા માટે એ રોઝો પણ વાજિબ જ ગણાશે. નફલ નહિ ગણાય અને અહિંયાંનો ર૯મો રોઝો તમારા માટે જતો કરવો દુરસ્ત નથી. કારણ કે હદીસ શરીફથી એ વાત સાબિત છે કે, પોતે જે સ્થળ ઉપર રહેતો હોય ત્યાંના બધા લોકો જયારે રમઝાનનો રોઝો રાખે ત્યારે તેઓ સાથે રોઝો રાખવો અને જયારે બધા લોકો ઈદ કરે ત્યારે ઈદ કરવી વાજિબ છે. (શામી –ર / ૯૦ ) (૭,ઝૂ કઅ્‌દહ ૧૪૦૬ હિ.સ.)

Log in or Register to save this content for later.