Chapter : રોઝહ
(Page : 360)
સવાલ :– કેટલા માઈલના વિસ્તારમાં એક જગ્યાએ જોવામાં આવેલી ચાંદની ગવાહી બીજી જગ્યાએ માની શકાય છે જવાબ :– જે ચાંદ કમિટી જેટલા એરિયા માટે બનાવવામાં આવી હોય તે એરિયા માટે ગવાહી માની શકાય છે અને જો બીજી જગ્યાએથી ગવાહી લાવવી હોય તો ગુજરાતમાં તો ગમે તે ઠેકાણે જયાં મોઅતબર દીનદાર માણસોએ ચાંદ જોયો હોય અને ત્યાંના મકામી ઉલમાએ તેમની ગવાહીને ભરોસાપાત્ર ઠેરવી હોય તેવા ઠેકાણે ગુજરાતના બીજા ગમે તે ઠેકાણેથી (જયાં ચાંદ જોવાયો નથી) મોઅતબર દીનદાર માણસો આવી ગવાહી લઈ જઈ શકે છે અને તેને માન્ય રાખી શકે છે. એવી જ રીતે એક જગ્યાએના ચાંદ જોનાર મોઅતબર દીનદાર માણસો ઉપર મુજબ બીજી ગમે તે જગ્યાએ પોતે જઈને પણ ગવાહી આપી શકે છે. (રૂયતે હિલાલ – ૪૯)
Log in or Register to save this content for later.