[ર૯૬] ચાંદની તહકીક માટે જવું

Chapter : ઝકાત

(Page : 359)

સવાલ :–  હમારા ગામના મતલઅ પર કોઈ વાર વાદળો હોય અને ચાંદ દેખાય નહિ તો હમારા ગામની ચાંદ કમિટી આજુબાજુના ગામોમાં જઈ ચાંદની તહકીક કરી શકે છે કે નહિ ? ચાંદની તહકીક કરવા માટે બીજા ગામમાં જવાય કે નહિ ?

જવાબઃ–  ચાંદ કમિટીના સભ્યો મોઅતબર અને દીનદાર હોય તો આજુબાજુના ગામોમાં તહકીક માટે જઈ શકે છે અને તેમની શરીઅત મુજબ હાસિલ કરેલી તહકીક મુજબ ચાંદ કમિટીના એરિયાના લોકો ઉપર અમલ કરવો ઝરૂરી છે, પરંતુ ચાંદની તહકીક માટે બીજી જગ્યાએ જવું ઝરૂરી નથી.            (ઈમદાદુલ ફતાવા – ર/૧૦ર)

Log in or Register to save this content for later.