Chapter : રોઝહ
(Page : 358-359)
સવાલ : – હમારે ત્યાં માહે શવ્વાલનો ચાંદ જોવાનો હતો ત્યારે મતલઅ પર વાદળો હોવાથી ચાંદ દેખાયો નહિ તથા અમારી આજુબાજુ સૂરત, રાંદેરમાં પણ ચાંદ જોઈ શકયા નહિ, પરંતુ રાત્રે દસ વાગ્યે અમોને ખબર પડી કે ભરૂચ જીલ્લામાં બે –ત્રણ ગામોમાં ચાંદ દેખાયો છે. (ભરૂચ હમારા ગામ કઠોરથી પાંત્રીસ માઈલ દૂર છે) તો હમારા ગામની ચાંદ કમિટી ભરૂચ જિલ્લાના જે ગામોમાં ચાંદ દેખાયો છે ત્યાં જઈ ચાંદની તહકીક કરી ગવાહી લાવી શકે છે કે નહિ ?
જવાબઃ– બીજી જગ્યાએથી ગવાહી લાવવા માટે જેવા માણસોની ઝરૂર હોય છે અને જે વાતોની જાણકારી અને તેની કાળજી રાખવી ઝરૂરી હોય છે તે બધી વસ્તુઓનું ધ્યાન રાખી તમારા ગામની ચાંદ કમિટી સવાલમાં લખેલ અંતરે આવેલી બીજી જગ્યાએથી ચાંદ જોવાની ગવાહી લાવવા ચાહે તો લાવી શકે છે અને એ પ્રમાણે ગવાહી લાવ્યા પછી ગામ લોકોએ તેના ઉપર અમલ કરવો ઝરૂરી છે. (અલ્ બદાઈઅ : ર/૮૩) (૬ – ઝૂ કઅ્દહ ૧૪૦૧ હિ. સ.)
Log in or Register to save this content for later.