Chapter : રોઝહ
(Page : 358)
સવાલ :–દિલ્હીમાં ચાંદ દેખાયો તે સમાચાર ઉપરથી અમોએ મંગળવારે ઈદ કરી હતી. અમારા રોઝા ર૯ થયા છે, આખા ગુજરાતમાં મંગળવારે ૧૯ તારીખે ઈદ થઈ નથી, આખા ગુજરાતમાં અમારા ગામમાં મંગળવારે ઈદ કરી તો શરઈ કાયદા પ્રમાણે જવાબ આપશોજી.
જવાબ :– કંથારીઆ, રાંદેર, ડાભેલ, આણંદ અને વડોદરા વગેરે સ્થળોએ આકાશ સાફ હોવા છતાં ચાંદ જોવાયો ન હતો અને મતલઅ સાફ હોવાની સૂરતમાં જે પ્રમાણે ચાંદ દેખાવો જોઈએ એ પ્રમાણે ચાંદ જોવાયાની કોઈ જગ્યાએથી ખબર કે ગવાહી પણ મળી ન હતી એટલે મંગળવારના ૩૦ રોઝા પૂરા કરી બુધવારે તા. ર૦ જાન્યુઆરી ૧૯૯૯ના ઈદ થઈ હતી. દિલ્હીની રેડિયોની ખબર શરઈ દ્રષ્ટિએ અમલપાત્ર ન હતી. હવે તમોએ ઈદના શરઈ સબૂત વિના ઈદ કરી છે એટલે એક દિવસના રોઝાની કઝા કરવી પડશે. (શામી –ર)
Log in or Register to save this content for later.