Chapter : રોઝહ
(Page : 356-357)
સવાલ :– (૧૧) કેટલીક વ્યકિતઓ એવી દલીલ કરે છે કે અલ્લાહ રબ્બુલ ઈઝઝતે ચાંદ એક જ બનાવેલ છે માટે દુનિયાના કોઈ પણ ભાગમાંથી આવેલી ચાંદની મોઅતબર ખબરને માન્ય રાખવામાં આવે આ અંગે આપનો શું ખ્યાલ છે ?
જવાબ :– (૧૧) હનફી આલિમોના એક મંતવ્ય મુજબ દુનિયાના ગમે તે ભાગમાં ચાંદ જોવાય અને બીજા સ્થળો અને ભાગોમાં તે ચાંદ જોવાની સાબિતી શરીઅત માન્ય પધ્ધતિ મુજબ થઈ જાય તો રમઝાન અને ઈદુલ ફિત્રની બાબત તે સાબિતી મુજબ અમલ કરી શકાય છે, પરંતુ શા’બાન, ઝિલ હજ્જ વગેરેમાં ૧પમી શાબાન અને હજ્જ – ઈદે કુરબાની અને કુરબાની બાબત ગમે ત્યાંની ખબર ન ચાલી શકે અને તહકીકકાર હનફી આલિમોના મંતવ્ય મુજબ દરેક ચાંદ બાબત ચાહે તે રમઝાન હોય કે ઈદનો ચાંદ એ વાતની રિઆયત કરવી ઝરૂરી છે કે કમરી ઈસ્લામી મહિનો ૩૧ દિવસ કે ર૮ દિવસનો ન થઈ જાય, જો બીજી જગ્યાઓનો ચાંદ માન્ય રાખવામાં એ પ્રમાણે ઈસ્લામી મહિનામાં વધઘટ થતી હોય તો તેવી બીજી જગ્યાઓના ચાંદની ખબર મોઅતબર ન માનવામાં આવે, કારણ કે હદીષ શરીફથી અને ઈજમાએ ઉમ્મતથી એ વાત સાબિત છે કે ઈસ્લામી મહિનો ર૯ અથવા ૩૦ દિવસનો હોય છે એથી લાંબો કે ટૂંકો હોતો નથી અને ચાંદ ચાહે એક જ છે, પરંતુ જેમ તુલૂએ આફતાબ અને ગુરૂબે આફતાબ વિવિધ જગ્યાઓમાં આગળ પાછળ થાય છે અને એ જ પ્રમાણે નમાઝોના ટાઈમ પણ આગળ પાછળ રહે છે. હાલાંકે આફતાબ એક જ છે, પરંતુ દરેક જગ્યાએ સ્થાનિક તુલૂઅ – ગુરૂબનો એઅતેબાર કરવામાં આવે છે, એવી જ રીતે ચાંદ ચાહે એક જ છે. પરંતુ તેની રૂયત (દેખાવ) વિવિધ જગ્યાઓમાં આગળ – પાછળ થાય છે, અમુક જગ્યાઓમાં એક – બે દિવસ આગળ પાછળ થાય છે તો અમુક જગ્યાઓમાં કલાકોનો ફરક પડે છે માટે કલાકોનો તફાવત તો માફ છે પરંતુ દિવસનો તફાવત મોઅતબર ગણવો જોઈએ, તાકે મહિનો ર૮ કે ૩૧ દિવસનો ન થઈ જાય. (શામી – ર, રસાઈલે મસાઈલે રૂયતે હિલાલ)
Log in or Register to save this content for later.