Chapter : રોઝહ
(Page : 354-355)
સવાલ :– (૯) અહીં ટોરન્ટો ખાતે એમ.એસ.એ. (મુસ્લિમ સ્ટુડન્ટ એસોસિયેશન) ના નામે એક મોટી સંસ્થા પણ છે જેના મુન્તઝિમો શાફઈ મસલક પ્રમાણે અનુસરે છે. એમ.એસ.એ. દ્રારા પ્રસારિત થયેલા કેલેન્ડરોમાં પહેલાથી જ રમઝાન અને ચાંદની જાહેરાત થઈ ચૂકી હોય છે અને તેઓ રમઝાન તેમ ઈદની જાહેરાત પણ મહિના દોઢ મહિના પહેલાં ન્યૂઝ પેપર તેમજ ટેલિફોન અને રેડિયો દ્રારા કરે છે. તેઓના કહેવા પ્રમાણે તેઓ મોટે ભાગે સઉદિયાથી આવેલી ખબરને માન્ય રાખે છે અથવા કોઈક વેળા અમેરિકાના કોઈ સ્ટેટમાંથી આવેલી ખબરને પણ માન્ય રાખે છે. ઘણા લોકો કૌમમાં ઈત્તિફાક–ઈત્તિહાદ પેદા થાય એ કારણે એમ. એસ. એ. નું અનુકરણ કરે છે, તો હમારે આ અંગે તેનું અનુસરણ કરવું કે કેમ ?
જવાબઃ– (૯) ખગોળ શાસ્ત્રના હિસાબના આધારે ચાંદનો તુલૂઅ નકકી કરી રમઝાન અને ઈદનો દિવસ નકકી કરવો જાઈઝ અને દુરસ્ત નથી. હઝરત રસુલૂલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મહિનાના દિવસોની ગણત્રીમાં હિસાબને માધ્યમ બનાવવાની મનાઈ ફરમાવી છે. ચાહે અમૂક શાફઈ આલિમો હિસાબી ચાંદ અને કેલેન્ડર મુજબ અમલ કરવાને જાઈઝ લખે છે, પરંતુ મોટા ભાગના શાફઈ આલિમો તેને મોઅતબર માનતા નથી અને હદીસ વિરૂધ્ધ હોવાથી તેને રદિયો આપે છે અને હનફી મસલક મુજબ તો સર્વાનુમતે હિસાબી ચાંદનો એઅતિબાર કરવો જાઈઝ નથી. (શામીઃ ભા–ર/૯ર)
Log in or Register to save this content for later.