[ર૮ર] રમઝાન અને ઈદ માટે ચાંદનો સુબૂત

Chapter : ઝકાત

(Page : 348-349)

સવાલ :– કેનેડામાં મોટે ભાગે ચાંદ જોઈ શકાતો નથી અને એવા સંજોગોમાં દૂર દરાઝથી ચાંદની આવેલી ખબરોના આધારે રમઝાનુલ મુબારકની શરૂઆતનું તેમજ ઈદુલફિત્રનું એ’લાન કરવામાં આવે છે, ટોરન્ટોમાં ”જમીઅતુલ મુસ્લિમીન” જેવી બીજી અન્ય સંસ્થાઓ છે અને એ સંસ્થાઓથી વાબસ્તગી ધરાવનાર મુસ્લિમો ઉપર મુજબ શરઈ પ્રસંગોએ મુત્તફિક થઈ શકતા નથી, આથી આપ અમોને ચાંદ વિષેના મસાઈલ અંગે શરઈ માર્ગદર્શન આપશો.

(૧) રમઝાન અને ઈદના ચાંદ માટે કેટલી અને કઈ કઈ વ્યકિતઓની શહાદત માન્ય રાખવામાં આવશે ?

જવાબ :– જો રમઝાનના ચાંદ વખતે મતલઅ (ચાંદ તલાશ કરવાની જગ્યા) સાફ ન હોય તો એક મુસલમાન દીનદાર મર્દ અથવા ઓરત પોતાના ચાંદ જોવાની ખબર આપે તો રમઝાન સાબિત થઈ જાય છે અને જો મતલઅ સાફ હોય તો રમઝાનના ચાંદની સાબિતી માટે એટલી મોટી સંખ્યામાં લોકોનું ચાંદ જોવું ઝરૂરી છે કે તેઓને ચાંદ જોવા બાબત જૂઠા ન કહી શકાય, મતલબ એ છે કે ચાંદ તલાશ કરનાર માણસોમાંથી લગભગ બધા જ પોતાનું ચાંદ જોવું બયાન કરે, સિવાય તે માણસો કે જેઓ પોતાની આંખોની કમઝોરીના કારણે ન જોઈ શકે.

               અને ઈદના ચાંદ વખતે જો મતલઅ સાફ ન હોય તો ”જમીઅતુલ મુસ્લિમીન” ના ઉલમાએ કિરામ સમક્ષ બે દીનદાર શરીઅતના પાબંદ મર્દોએ અથવા એક દીનદાર પાબંદે શરીઅત મર્દ અને એવી જ બે ઓરતોએ પોતાના ચાંદ જોવાની ગવાહી આપવી ઝરૂરી છે અને જો મતલઅ સાફ હોય તો રમઝાનના ચાંદની જેમ મોટી જમાઅતનું ચાંદ જોવું ઝરૂરી છે.                        (શામી – ર)

Log in or Register to save this content for later.