[ર૮૧] ત્રીજી રમઝાને આવેલી ખબરથી કઝા

Chapter : ઝકાત

(Page : 347-348)

સવાલ :–  આ વર્ષે રમઝાનમાં ચાંદ જોવાની ઘણી કોશિષ કરી, અહિંયાં સુધી કે આજુબાજુ લગભગ ૭૦૦ થી ૧૦૦૦ કિલોમીટર સુધી ટેલીફોન મારફત ખબર કઢાવી પણ ચાંદનો સુબૂત મળ્યો નહિ, અહિંયાં સુધી કે દારે સલામથી ખબર મળી કે વાદળ બિલકુલ સાફ હતું, ચાંદ જોવાયો નથી. તે ઉપરાંત અહીં ચાંદ કમિટી જેનું નામ ”બકવાટા” છે એમને પણ ખબર ન આપી, પછી ત્રણ રમઝાનમાં દિવસે પેપરમાં ઉપરની જ કમિટીએ ખબર આપી કે જુમ્આના દિવસે ચાંદ થઈ ગયો હતો. તો શું આ ખબરને માન્ય રાખી કઝા વાજિબ થશે અથવા મિસરના એલાનથી રમઝાન શરૂ કરી શકાય ?

જવાબ :– જો ચાંદ કમિટીમાં ચાંદ બાબતના મસાઈલના વાકિફ અને માહિર આલિમો મવજૂદ હોય અને તે ચાંદ કમિટીના મસાઈલ મુજબ ચાંદનો ફેસલો કરવા વિષે સંતોષ હોય અને તમારું શહેર તે ચાંદ કમિટીના વર્તુળમાં શામેલ હોય અને ચાંદની ખબર વિશ્વાસ પાત્ર અને શરીઅત માન્ય પધ્ધતિ મુજબ તમારા સુધી પહોંચે તો તમારા માટે એક રોઝાની કઝા વાજિબ થશે, પરંતુ માત્ર પેપરની ખબર મોઅતબર નથી, શરીઅત મુજબ પધ્ધતિસર ખબર હોવી જોઈએ, ફકત મિસરના એલાનથી તમારે ત્યાં ચાંદનો ફેસલો કરી લેવો અને રમઝાન શરૂ કરી દેવી દુરસ્ત નથી, બલ્કે આગલા જવાબ પ્રમાણે તમારા શહેરથી જે નઝદીકનું સ્થળ હોય અને શરીઅતની પધ્ધતિ મુજબ ખબર તમારા સુધી પહોંચે તો તમારા સ્થળે ત્યાંના ચાંદની ખબર રમઝાન શરૂ કરવામાં મોઅતબર થઈ શકે છે. ચાંદના મસાઈલ વિષે ઉર્દૂમાં અનેક કિતાબો છપાઈ ચૂકી છે તે મંગાવી અભ્યાસ કરવાથી પૂરી માહિતી વિગતવાર જાણી શકાશે.                    (૧ર મુહર્રમ ૧૪૦હિજરી)

Log in or Register to save this content for later.