Chapter : ઝકાત
(Page : 335-336)
સવાલ :– ચાંદ કમિટીએ ચાંદ થવાની શહાદત લીધા પછી ચાંદ થવાની જાહેરાત કયા શબ્દોમાં કરવી તે શબ્દો સ્પષ્ટ દર્શાવશો.
જવાબઃ– મુખ્તસર શબ્દોમાં પણ જાહેરાત કરી શકાય છે કે ફલાણી ચાંદ કમિટી જેના સભ્યો ફલાણા ….. છે, તેમની સામે ચાંદ જોનારાઓએ ગવાહી આપી છે અને તેઓની મોઅતબર ગવાહીના આધારે માહે રમઝાન કે શવ્વાલ કે ઝીલ્ હજ્જનો ચાંદ ઓગણત્રીસા થવાનો ફેસલો કર્યો છે, માટે ફલાણા દિવસે પહેલી તારીખ ગણી રોઝો રાખવામાં આવે કે ઈદ મનાવવામાં આવે અને થોડી વિગત સાથે પણ જાહેરાત કરી શકાય છે, જેમકે ફલાણી ચાંદ કમિટી જેના સભ્યો ફલાણા………….છે. (અથવા નીચે સહી કરનાર છે) તેઓની સામે ફલાણા ગામના રહીશો નામ (૧)…………….. (ર)……………. (૩)……………છે, તેઓએ …. તારીખે ….. ના દિવસે સાંજે મગરિબ બાદ કે પહેલાં મતલઅ સાફ હોવાની હાલતમાં કે ન હોવાની હાલતમાં પોતે ચાંદ જોયાની ગવાહી આપી છે અને મઝકૂર ગવાહો દીનદાર શરીઅતના પાબંદ છે. (જો શહાદત અલશ્શહાદતના આધારે ફેંસલો કરવામાં આવ્યો હોય તો તે પણ વિગતવાર દર્શાવવામાં આવે.) તેઓની મોઅતબર ગવાહીના આધારે ચાંદ કમિટીએ ફલાણા મહિનાનો ચાંદ ઓગણત્રીસા થવાનો ફેસલો કર્યો છે અને એ હિસાબે રમઝાનનો પહેલો રોઝો ફલાણા દિવસે ગણવો (અથવા) ઈદ ફલાણા દિવસે મનાવવી.
જો પહેલી રમઝાન વિતી ગયા પછી સબૂત મળે અને જાહેરાત કરવામાં આવે તો રોઝાની કઝાનું પણ એલાન કરી આપવું જોઈએ.
Log in or Register to save this content for later.