Chapter : ઝકાત
(Page : 333-335)
સવાલઃ– આપણા અતરાફમાં ભરૂચ, સૂરત, તડકેશ્વર, રાંદેર આ ચાર હિલાલ કમિટીઓ છે. આ ચારેવની હુદૂદે વિલાયત (જેમાં એમના ફેસલા પર અમલ કરવું દુરસ્ત હોય) કયાં સુધી છે? જવાબ આપશો.
જવાબઃ– મઝકૂર ચાંદ કમિટીઓની હુદૂદે વિલાયત નકકી કરતાં પહેલાં એ બાબત વિચારણા ઝરૂરી છે કે આ ચાંદ કમિટીઓ જે ગવાહીઓ લઈ ચાંદના ફેસલાઓ કરે છે તે હાકિમે શરઈ કે શરઈ કાઝીના કાયમ મકામ છે કે નહિ ? કારણકે એ વસ્તુ તો સ્પષ્ટ છે કે એવા દેશોમાં જયાં ગેર મુસ્લિમોની હુકૂમત હોય અને ગેર મુસ્લિમો તરફથી કોઈ મુસલમાન કાઝી નકકી કરવામાં ન આવે તો મુસલમાનોએ જોઈએ કે તેઓ પરસ્પર પોતાની રાજીખુશી અને સંમતિથી પોતાના કોઈ વાલી નકકી કરી લે, જે એવી બાબતોમાં શરઈ કાઝીનું સ્થાન સંભાળી લે, જેમાં મુસલમાન વાલી કે કાઝીની ઝરૂરત પડે છે જેમ કે નિકાહ, તલાક, જુમ્અહની નમાઝ અને ચાંદની ગવાહી અને ફેસલા જેવા મસાઈલ…….
واما بلاد علیھا ولاۃ کفار فیجوز للمسلمین اقامۃ الجمع والا عیاد ویصیر القاضی قاضیا بتراضی المسلمین فیجب علیھم ان یلتمسوا والیا مسلما منھم۔۔۔۔۔۔ واذا لم یکن سلطان ولا من یجوز التقدر منہ کما ہو فی بعض بلاد المسلمین غلب علیھم الکفار ـــــــ یجب علی المسلمین ان یتفقوا علی واحد منھم یجعلونہ والیا فیولی قاضیا ویکون ہو الذی یقضی بینھم۔ (شامی :308 چھارم 540 جلد اول(
મઝકૂર ચાંદ કમિટીઓને પોત પોતાના ઈલાકાના ગામો તરફથી સ્પષ્ટ રીતે કે ત્યાંના બધા લોકોએ ભેગા થઈ અથવા ત્યાંના વિશ્વાસપાત્ર આલિમો કે એક મુખ્ય આલિમે અને કોઈ આલિમ ન હોય તો ત્યાંના દીનદાર આગેવાનોએ કહયું અથવા લખ્યું હોય કે તમારી જાહેર કરેલી ચાંદ કમિટી પર અમો વિશ્વાસ કરીએ છીએ અને તેના ફેસલાઓ અમોને માન્ય રહેશે. આ પ્રમાણે કોઈ મૌખિક કે લેખિત સંમતિ મળી નથી.
હા, અમલી સૂરતમાં એ વાત ઝરૂર સાબિત છે કે સવાલમાં દર્શાવેલ વિવિધ ઈલાકાઓમાં ચાંદ બાબત ફેસલાના મરકઝોથી લોકો વેળાસર સંપર્ક કાયમ કરે છે અને ફેસલાઓ માને છે. એ દ્રષ્ટિએ દરેકની હુદૂદે વિલાયત આ પ્રમાણે નકકી કરી શકાય છે. જે જે વસ્તીના લોકો હંમેશા કે મોટે ભાગે જે મરકઝથી સંપર્ક રાખે છે તે બધી વસ્તીઓ તે ચાંદ કમિટીની હુદૂદે વિલાયતમાં માનવામાં આવે, બાકી ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકા કે જિલ્લાની સરહદોની જેમ હદો નકકી કરવી મુશ્કેલ છે.
હઝ. મૌલાના મુહમ્મદ મિયાં સાહેબ (રહ.)ના રિસાલએ રૂયતના પેજ નં – ૭પ પર મૌલાના મર્હુમના મંતવ્ય મુજબ એ વાતની પણ ગુંજાઈશ છે કે સવાલમાં દર્શાવેલ દરેક ઈલાકાના લોકો જો આ ચાર ચાંદ કમિટીઓમાંથી દરેકને અથવા પોતાની સગવડ અને વિશ્વાસ મુજબ જેને જેને સ્વેચ્છાએ સંમતિ અને માન્યતા આપી દે તો એક જ ગામ અનેક ચાંદ કમિટીની હુદૂદે વિલાયતમાં પણ દાખલ થઈ શકે છે અને માન્ય કમિટીઓમાંથી જે કમિટી પણ ફેંસલો કરે તેના ફેસલા પર અમલ કરી શકાય છે.
અને અતિ યોગ્ય છે કે દરેક ચાંદ ફેસલાનું મરકઝ પોતાના તરફથી પોતાના એરિયાના દરેક ગામના વિશ્વાસ પાત્ર આલિમ અને દીનદાર આગેવાનોને જાણ કરે કે તેઓ ગામ લોકોને એકત્રિત કરી તેઓની સંમતિ લઈ પોતાને યોગ્ય તેવા મરકઝને પોતાનું સંમતિનામું રવાના કરી આપે, તાકે હાલ ઉપસ્થિત થતાં રહેતાં સંજોગોનું નિરાકરણ આવે.
Log in or Register to save this content for later.