Chapter : ઝકાત
(Page : 313-314)
સવાલ :– એક મુસ્લિમભાઈનું પોતાના વતનમાં વડીલો પાર્જિત પોતાનું સંયુકત મકાન છે. પરંતુ સરકારી નોકરીના કારણે વતનમાં રહેતા ન હતા અને નોકરી દરમ્યાન નોકરીના સ્થળે રહીને ફરજ બજાવતા હતા. હાલએ નિવૃત થઈ સૂરતમાં સ્થાયી થયા છે અને તેમની પાસે પોતાની ફેમિલીનો સ્વતંત્ર અલગ રાશન કાર્ડ પણ છે.
વતનથી દૂર રહેવાના કારણે મઝકૂર મુસ્લિમભાઈનો રાશન કાર્ડ નોકરીની બદલી સાથે બદલાતો રહયો હતો. જેથી વતનમાં પોતાના કુટૂંબના નામે રાશનકાર્ડ કઢાવ્યો ન હતો. હમણા મઝકૂર મુસ્લિમ ભાઈને એવી પાકી ખબર પડી છે કે પોતાના વતનના ગામમાં કદાપી વસવાટ ન કરવા છતાં મઝકૂર મુસ્લિમ કુટુંબના નામના રાશનકાર્ડનો સમાંતર ઉપયોગ થઈ રહયો છે. સરકારી ભાષામાં એવા બનાવટી કાર્ડને ભૂતિયા કે નકલી રાશનકાર્ડથી ઓળખવામાં આવે છે.
મઝકૂર મુસ્લિમભાઈના કૌટૂંબિક બોગસ રેશનકાર્ડનો અન્ય એક ગરીબ મુસ્લિમ અનાજ, કેરોસીન વગેરે.. સરકારની વ્યાજબી ભાવની દુકાનેથી ખરીદી કરવા ઉપયોગ કરે છે આ કાર્યથી ગરીબ મુસ્લિમને થોડી આર્થિક રાહત મળતી હશે, પરંતુ સરકારી કાયદા મુજબ તો અન્ય નામનો રાશનકાર્ડ ઉપયોગ એ દુરૂપયોગ જ કહેવાય. જે ગુનોહ ગણાય છે. તો શું આ ગરીબ મુસ્લિમ ભાઈને સરકારી બોગસ કાર્ડ વાપરવાથી રોકવા જોઈએ ? તેને આ કાર્યથી ન રોકી આંખ આડા કાન કરવા જાઈઝ છે ? શું આ પ્રમાણે દુરૂપયોગ કરવા દઈ સરકારી કાયદાનો ભંગ કરવો વ્યાજબી લેખાશે ? શું આ પ્રમાણે રાશન કાર્ડનો દુરૂપયોગ કરનાર મુસ્લિમ ગુનેહગાર થશે ?
જવાબ :– સરકાર માન્ય સસ્તા ભાવની દુકાનેથી રાહત દરે મળતી વસ્તુઓ કાર્ડ ધારકો માટે સરકારી સહાય છે જે સરકારી કાયદા મુજબ કાયદેસર કાર્ડધારક ગ્રાહક માટે લેવી જાઈઝ છે અને આ બાબત સરકારે નકકી કરેલા નિયમોનું પાલન કરવું ઝરૂરી છે, માટે બીજાના નામનો કાર્ડ કઢાવી મઝકૂર રાહત અને સહાય લેવી જાઈઝ નથી અને જેના નામનું બોગસ કાર્ડ કઢાવેલ છે તેણે એ વાતની જાણકારી પછી મઝકૂર બોગસ કાર્ડ રદ કરાવવું જોઈએ, નહિ તો તેને ગુનાહના કામમાં અને નાજાઈઝ અને ગેર કાયદેસર સહાય મેળવવાના કામમાં મદદરૂપ થવાનો ગુનોહ લાગુ પડશે. (મઆરિફુલ કુર્આન – ર/૪પર)
Log in or Register to save this content for later.