[ર૬પ] બિરાદરીના સભ્યોથી ચંદો અથવા ફીસ લેવી

Chapter : ઝકાત

(Page : 309-310)

સવાલ :–  અમારી પટણી સુન્ની કવ્મે બવાહીર (પીરભાઈ) જમાત કડીમાં આવેલ છે, આ જમાતના બંધારણ મુજબ જમાતની ફરજો બજાવવા અને હેતુઓ પાર પાડવા જમાતના દરેક ખાતેદાર પાસેથી વાર્ષિક લવાજમ રૂપિયા ર૪ લેવામાં આવે છે, ખાતેદારો પાસેથી જે વાર્ષિક લવાજમ આવે તે આવક જમાતના ભંડોળમાં જમા કરવામાં આવે છે. જમાતની આ આવકમાંથી ઓફિસ સ્ટાફનો પગાર – લાઈટબીલ – ટપાલખર્ચ – મકાન રીપેરીંગ – ફેડરશેનનું વાર્ષિક લવાજમ વગેરેમાં ખર્ચ કરવામાં આવે છે.

               તો ઉપરોકત ખર્ચ કરવાના આશયથી ત્યાં સામુહિક પ્રગતિ અંગે શરઈ એઅતિબારથી દરેક ખાતેદાર પાસેથી વાર્ષિક લવાજમ ઉઘરાવી શકાય કે કેમ ? તદઉપરાંત આવા ખર્ચાઓ તેમાંથી કરી શકાય કે કેમ? તે જણાવવા મહેરબાની કરશો.

જવાબ :– મઝકૂર લવાજમ શરઈ દ્રષ્ટિએ એક જમાઅતી ચંદો છે. મઝકૂર હેતુઓ બતાવીને આ લવાજમ (ચંદા)ની અપીલ કરવામાં આવે, કોઈ વ્યકિત ઉપર ઝબરદસ્તી કે આગ્રહ ન કરવામાં આવે, જે વ્યકિત રાજી ખૂશીથી સ્વેચ્છાએ નક્કી કરેલ રકમથી ઓછી કે વધતી  રકમ આપે તે લેવી જાઈઝ છે, અને નિયત કરેલા હેતુઓમાં તે રકમ વાપરવી જાઈઝ છે, દરેક માટે મઝકૂર લવાજમ ફરજિયાત ઠરાવવું અને કોઈ જમાઅતી  દબાણ કરવું, ચોક્કસ રકમનો જ આગ્રહ રાખવો એ જાઈઝ નથી.                                              (શામી : ર)

Log in or Register to save this content for later.