[ર૪૮] અગર વકીલ સદકહની રકમ વાપરી નાખે

Chapter : ઝકાત

(Page : 290)

સવાલ :– મુસાભાઈએ યાકૂબભાઈને ફીત્રાના પૈસા આપ્યા અને મુસાભાઈએ કહયું કે આ પૈસા રમઝાન ઈદ પહેલાં  વહેંચી આપશો. યાકૂબભાઈએ બીજો માણસ યુ.કે.થી આવતો હતો તેને પૈસા આપ્યા કંઈ કહયુ નહિ કે ફિત્રાના પૈસા છે ફકત એમજ કહયું કે મારે ઘેર આપી દેશો તો તે પૈસા વપરાય ગયા છે અને આ વાતની ચર્ચા હમણાં બે દિવસમાં થઈ તો હવે તે જેટલી રકમ હતી એટલી રકમ હમણાં ફિત્રામાં આપે તો મુસાભાઈનો ફિત્રો અદા થશે કે નહિ ?

જવાબ :– સદકએ ફિત્ર જો ઈદના દિવસે અદા ન કરી શકયા હોય તો ઈદુલ ફિત્ર પછી પણ વાજિબ રહે છે અને અદા થઈ શકે છે.

               મુસાભાઈના સદકએ ફિત્રની જે રકમ યાકૂબભાઈથી વપરાય ગઈ છે હવે તેની જગ્યાએ પોતાની પાસેથી બીજી રકમ સદકએ ફિત્રમાં આપવા માટે મુસાભાઈની નવેસરથી મંજૂરી મેળવવી પડશે. નહિ તો મુસાભાઈનો સદકએ ફિત્ર અદા નહિ થાય બલ્કે યાકૂબભાઈના પોતાના તરફથી નફલ સદકો ગણાશે.           (શામી – ર/૧ર,૭ર)

Log in or Register to save this content for later.