Chapter : ઝકાત
(Page : 289)
સવાલ :– શું ફરમાવે છે ઉલમાએ દીન યુ.કે.માં રહેતા સંતાનોનો સદકએ ફિત્ર અહીંયા અમારા દેશમાં આપી શકાય?
જવાબ :– જો યુ.કે માં રહેતા બાલિગ ગરીબ સંતાનોના વાલી સદકો અદા કરવાના હોય તો જયાં તે રહેતા હોય ત્યાં અદા કરવો અફઝલ છે અને જો છોકરાઓ માલદાર બાલિગ હોય અથવા નાબાલિગ માલદાર હોય તો તેમના ઉપર વાજિબ હોવાથી તેઓના સ્થળે અદા કરવો અફઝલ છે. પરંતુ બીજી જગ્યાએ ગુરબત વધારે હોય અથવા મદ્રસાના ગરીબ તલબા હોય અથવા રિશ્તેદારો સદકો લેવા પાત્ર ગરીબ ત્યાં રહેતા હોય તો વગર કરાહતે બીજી જગ્યાએ અદા થઈ શકે છે.
(દુ. મુખ્તાર શામી–ર/૬૮)
Log in or Register to save this content for later.