[ર૪૩] માલદાર માટે નફલ સદકહ

Chapter : ઝકાત

(Page : 287)

સવાલ :– વરસાદ ન પડવાથી મહોલ્લાના માણસોએ પૈસા ભેગા કરીને એક જાનવર ખરીદી તેનો સદકો કર્યો, તો આ સદકાનો ગોશ્ત માલદાર મુસલમાન ખાઈ શકે કે કેમ?

જવાબ :– નફલી સદકાનો ગોશ્ત માલદાર મુસલમાનને આપવો જાઈઝ છે, પરંતુ બેહતર નથી અને માલદાર મુસલમાને તેવો ગોશ્ત ખાવાથી બચવું જોઈએ. અલબત્ત, જો કોઈ ગરીબ માણસ પોતાને સદકા રૂપે મળેલો ગોશ્ત પકાવીને અથવા પકાવ્યા વિના કોઈ માલદારને હદિયા રૂપે મોકલાવે તો માલદાર માટે તે ગોશ્તના ખાવામાં કોઈ વાંધો નથી.          (શામી –૪ / પ૧૪,પરર)

Log in or Register to save this content for later.