[ર૩૯] ફર્ઝ અને વાજિબ સદકહના હકદાર

Chapter : ઝકાત

(Page : 281)

સવાલ :– ફર્ઝ અને વાજિબ પ્રકારના સદકહ ગરીબ અને માલદાર બન્ને પ્રકારના માણસોને આપી શકાય કે નહિ ? મતલબ કે મઝકૂર પ્રકારના સદકહના હકદાર કોણ છે ? અને કેવા પ્રકારના માણસે તે લેવો હલાલ અને જાઈઝ છે?

જવાબ :– ફર્ઝ અને વાજિબ પ્રકારના સદકહ માત્ર એવા મુસ્લિમ મર્દ કે ઓરત, બાલિગ કે નાબાલિગ ને આપવો જાઈઝ છે કે જે શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય અને સય્યિદ ન હોય, અને આ પ્રકારનો સદકો ફકત ગેર સય્યિદ ગરીબ મુસ્લિમે જ લેવો જાઈઝ છે, શરઈ દ્રષ્ટિએ માલદાર હોય અથવા સય્યિદ હોય એવા મુસ્લિમે ફર્ઝ અને વાજિબ સદકહ લેવો જાઈઝ અને હલાલ નથી અને આ પ્રકારનો સદકો માલદારને આપવો જાઈઝ પણ નથી.

Log in or Register to save this content for later.