[ર૩૪] જમીન મહસૂલ આપવાથી ઉશ્ર અદા નહિ થાય

Chapter : ઝકાત

(Page : 275-276)

સવાલ :– શું સરકારી જમીન મહસૂલને ઉશ્રમાં ગણી શકાય છે? સરકારને જમીન મહસૂલ અદા કરવાથી ઉશ્ર (ખેતીની ઝકાત) અદા થયેલું ગણી શકાય કે નહિ?

જવાબ :– તિજારતી માલ અને રોકડની ઝકાતની જેમ ખેત ઉત્પાદનની ઝકાત (ઉશ્ર) પણ એક માલી ઈબાદત છે અને તેના હકદાર તે જ લોકો છે જે માલની ઝકાતના હકદાર છે, માટે સરકારને જમીન મહસૂલ આપવાથી ઉશ્ર અદા થયેલું નહિ ગણાય, બલ્કે ખેત ઉત્પાદનના માલિકે પોતે ઝકાતના હકદારોને ખેતીની ઝકાત (ઉશ્ર) અલગથી અદા કરવી ઝરૂરી છે, જેવી રીતે વેપારી સરકારને ઈનકમ ટેક્ષ ભરપાય કરે તો તેનાથી ઝકાતનો ફર્ઝ અદા થતો નથી. તેણે પોતાના માલની ઝકાત પોતે હકદારોને આપવી ઝરૂરી છે, એ જ હુકમ ખેતીની ઝકાતનો પણ છે.    (જવા. ફિકહ–ભાઃર)

Log in or Register to save this content for later.