Chapter : ઝકાત
(Page : 262-263)
સવાલ :– (૩) ૧– મુગલ શાસનની અધોગતિ અને અંગ્રેજોના સામ્રાજયના આરંભકાળથી ૧૯૪૭ સુધી ભારતની જમીનો બાબત વિવિધ સ્થળોએ જારી કરવામાં આવેલા કાયદાઓનું અવલોકન અને આ બાબતે હિન્દુસ્તાનના અલગ અલગ રાજયોમાં ૧૯૪૭ પહેલાં જારી કરવામાં આવેલા કાયદાઓની વિગતવાર છણાવટ.
ર– જમીનદારી નાબૂદીના કાયદા પછી હિન્દુસ્તાની જમીનોની હાલત અને ખેડૂતોના માલિકી હકોમાં કઈ તબદીલીઓ આવી તેમજ ભારતના અલગ અલગ રાજયોમાં આઝાદી પછીથી અત્યાર સુધી જમીનો બાબત જે અસરકારક કાયદાકીય તબદીલીઓ આવી તેની છણાવટ.
જવાબ :– (૩) ૧–ર : હઝ. મુફતી મુહંમદ શફીઅ સાહબ (રહ.) એ આ કાયદાઓની વિગતવાર પરિસ્થિતી લખેલ છે જે તે સમયના બાદશાહોએ પોતપોતાના ક્ષેત્રોમાં આવેલ જમીનોના ખિરાજ અને વેરાઓ બાબત જારી કર્યા હતા, પરંતુ આ થોડી ઘણી તબદીલીઓ છતાં દેશવાસીઓની જમીનોમાં કોઈ ફર્ક આવ્યો નથી. જમીનો જે તે માલિકોની માલિકીમાં ઉશ્રી કે ખિરાજી તરીકે બાકી રહી. જમીનદારી નાબૂદીના કાયદાને લઈ ખેડૂતોને બીજાની જમીનો પડાવી લેવાની અને સરકારી કાયદાના સહારે તેના માલિક બનવાની તક મળી ગઈ. જેના કારણે ઘણા માલિકોને પોતાની માલિકીની જમીન હોવા છતાં જબરદસ્તી તેમને જમીન વિહોણા કરી દીધા. (ઈસ્લામ કા નિઝામે અરાઝી, જવાહિરુલ ફિકહ – ર)
Log in or Register to save this content for later.