Chapter : ઝકાત
(Page : 255)
સવાલ :– મારા ખેતરની આવકની નિય્યત મેં ૬ મહિના પહેલાં એમ કરી હતી કે જે આવક આવશે તેને મદ્રસામાં આપી દઈશ. પણ હવે મારી નિય્યતમાં ફરક પડયો છે કે મદ્રસાના બદલે અમારા ગામમાં જમાઅતો આવે છે અને એમની ખાવા પીવાની ખિદમતમાં એ પૈસાનો ઉપયોગ કરૂં તો શું ઉપરવાળી નિય્યત ઉપર જ આ પૈસા વાપરી શકાય કે પછી પાછલી નિય્યત ઉપર વાપરી શકાય? પાછલું કામ પણ ઘણું જ ઝરૂરી દેખાય છે.
જવાબ :– ખેતીની આવકમાંથી ખેતીની ઝકાત ગરીબ મુસ્લિમોને આપ્યા પછી બાકીની આવક બન્નેવ કામોમાં વાપરી શકાય છે, બન્નેવ કામો નેકીના છે, અને સવાલમાં લખવા મુજબ નિય્યત પણ બદલી શકાય છે, બેહતર છે કે બન્નેવ નેક કામો માટે આવક વહેંચી આપવામાં આવે, તાકે દિલને નિય્યત મુજબ ખર્ચ કરવાનો સંતોષ થઈ જાય અને બન્ને કામોમાં ખર્ચ કરવાની ફઝીલત પ્રાપ્ત થાય.
Log in or Register to save this content for later.