[રરર] ખેત ઉપજમાંથી કર્ઝ બાદ નહિ થાય

Chapter : ઝકાત

(Page : 254-255)

સવાલ :– ખેતીની પૈદાવારની ઝકાત આપનાર માણસ અગર કર્ઝદાર હોય તો જેવી રીતે સોના ચાંદી વેપારના માલની ઝકાત કર્ઝ બાદ કરીને આપવાની હોય છે શું એવી જ રીતે ખેતીની ઉપજમાંથી કર્ઝ બાદ કરીને આપી શકાય કે નહિ?

જવાબ :– કર્ઝદાર વ્યકિતની ઉશ્રી જમીનની પેદાવારમાંથી તેનું કર્ઝ બાદ કરીને ઝકાત કાઢવામાં નહિ આવે જેમકે સોના – ચાંદી અને વેપારના માલમાંથી કર્ઝ બાદ કરીને બાકીની મૂડીમાંથી ઝકાત આપવામાં આવે છે. બલ્કે કર્ઝ બાદ કર્યા વગર પૂરી પેદાવારમાંથી પાણીના પ્રકાર મુજબ દસમો અથવા વીસમો ભાગ આપવાનો રહેશે. (દુ.મુખ્તાર શામી ર/૪૯)

               એટલે કે કર્ઝ હોવા છતાં પણ પૂરી પેદાવારમાં ઉશ્ર વાજિબ થાય છે.

Log in or Register to save this content for later.