[ર૧૯] ઉશ્ર પેટે કિંમત અથવા કોઈ સામાન આપવો

Chapter : ઝકાત

(Page : 253)

સવાલ :– એક જ વ્યકિતને અથવા એકથી બે વ્યકિતને સદરહુ રકમ આપવાના બદલે ઘર અથવા જમીન ખરીદી આપે અથવા ઘર બાંધી આપે અથવા ભેંસ ખરીદી આપે અથવા તેનું કર્ઝ ભરપાઈ કરી આપે અથવા તેના દીકરા દીકરીની શાદી કરી આપે, મતલબ કે તેની ઝરૂરતો પૂરી કરી આપે તો ચાલે કે કેમ?

જવાબ :– ઘર, જમીન, ભેંસ અને અન્ય કોઈ સામાન ખરીદ કરીને હકદારને આપવામાં આવે તો પણ ઝકાત (ઉશ્ર) અદા થઈ જશે. ઘર બાંધકામનો સર સામાન અથવા દીકરા દીકરીની શાદીનો સામાન ખરીદ કરી આપવામાં આવે તો પણ અદા થઈ જશે. જો તે હકદારની ઇજાઝત લઈ તેના કહેવાથી કર્ઝ ભરપાઈ કરવામાં આવશે તો ઉશ્ર (ઝકાત) અદા થઈ જશે, નહિ તો અદા નહિ થાય.

Log in or Register to save this content for later.