Chapter : ઝકાત
(Page : 247-248)
સવાલ :– (ર) ઉપર જણાવ્યુ તેમ અનાજ માટે ૬૦ ટકા રકમ, શિક્ષણ માટે ર૦ ટકા રકમ અને આરોગ્ય સેવા માટે ર૦ ટકા રકમ ફાળવી હોય, પરંતુ અનાજ રેશનીંગ માટે ફાળવેલી રકમ ચીઝ વસ્તુઓના ભાવ વધારાથી ઓછી પડે તો શિક્ષણ કે આરોગ્ય પાછળ ફાળવેલી રકમની બચત સિલકમાંથી વાપરી શકાય કે નહિ?
અમારા ટ્રસ્ટીઓનું માનવું છે કે મદ્રસા માટે જે ઝકાત અને સદકહનો ચંદો કરવામાં આવે છે. તે રકમ તે જ વર્ષે વાપરી નાખવાની હોતી નથી. જો ઝરૂરિયાત મુજબ ખર્ચ ન થાય તો બીજા વર્ષે સિલક ખેંચી વાપરવામાં આવે છે. કારણ કે ઝકાત આપનારે સંસ્થાને માલિક બનાવેલ છે, પછી માલિકે તે રકમનો ઉપયોગ કરવાનો હોય છે એટલે ઝકાત આપનાર સંસ્થાને ઝકાત આપે તો તેની ઝકાત અદા થઈ જતી હોય છે તો આ બાબતે વિગતથી જણાવશો.
જવાબ :– (ર) શિક્ષણ અને આરોગ્ય માટે જમા રાખેલી રકમ અનાજ રેશનીંગમાં વાપરી શકાય છે.
મદ્રસામાં તલબાનો સંપર્ક બાકી રહે છે, મદ્રસાની છુટ્ટીઓમાં ઘરે જાય છે અને તેઓની ઝરૂરતો માટે ઝકાતની રકમ આવતા વર્ષ માટે પણ જમા રહે છે, માટે તે જમા રકમ તેમના વકીલ વહીવટ કર્તા પાસે જમા હોવાથી હકદારને પહોેંચી ગયેલી ગણાશે. જો તમારી સંસ્થાના રજીસ્ટરમાં હકદારોની નોંધણી હોય તો તમારી સંસ્થામાં જમા રકમના પણ મદ્રસામાં જમા રકમની જેમ હકદારોને પહોંચી ગયેલી ગણી શકાય છે અને આવતા વર્ષ માટે જમા રાખી શકાય છે. (ઈમ.મુફતીન)
Log in or Register to save this content for later.