Chapter : ઝકાત
(Page : 246-247)
સવાલઃ–(૧) ચરોતર સુન્ની વહોરા સમાજ (દેવાતજા અટક) આણંદ મુકામે એક સંસ્થા ચલાવે છે જેનો હેતુ સામાજિક સુધારણા, બાળકોમાં દીની અને દુન્યવી શિક્ષણ વધારવુ, ગરીબો, યતીમો અને બેવાઓને આર્થિક રીતે મદદ કરવું છે. આ હેતુ માટે અમો ફકત અમારી જમાઅતના સખી દાતાઓ પાસેથી લિલ્લાહ દાનની રકમ અને ઝકાતના મુસ્તહિક કુટુંબો માટે ઝકાતની રકમ ઉઘરાવીએ છીએ. ઝકાતની આવી ઉઘરાવેલી રકમ માટે જમાઅતના દરેક સખી દાતાઓને જાણ કરીએ છીએ કે ઝકાતની રકમમાંથી ૬૦ ટકા રકમ ગરીબ બેવાઓને અનાજ રેશનની મદદ, ર૦ ટકા રકમ બાળકોની દીની દુન્યવી તા’લીમ માટે અને ર૦ ટકા રકમ મોટી બિમારીઓના ઈલાજ પેટે વાપરીશું.
આ રીતે સંસ્થાને ઝકાત મળે છે અને સંસ્થા તેની માલિક બને છે ત્યારબાદ ૬૦ ટકા રકમ અનાજ રેશનના ઝરૂરતમંદોની ઝરૂરિયાત ધ્યાને લઈ જે તે વર્ષમાં ખર્ચી નાખવામાં આવે છે , પરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે ફાળવેલી રકમ ઝરૂરતમંદો તરફથી માંગણી ન હોવાથી પૂરેપૂરી ખર્ચી શકાતી નથી. તો આ રકમ બીજા વર્ષ માટે વાપરવા સિલકે રાખી શકાય કે કેમ?
જવાબ :– (૧) એક વર્ષમાં ઝકાતની રકમ ખર્ચ કરી લેવી જોઈએ. (શામી–ર)
Log in or Register to save this content for later.