Chapter : ઝકાત
(Page : 242-243)
સવાલ :– એક માણસ અમારા સંબધીમાંથી છે, અમને પાકી ખબર છે કે તે ઝકાત લેવાનો હકદાર નથી. અમે તેને કહયું કે ભાઈ ઝકાતનો પૈસો ના લે, આમ છતાં પણ અમુક લોકો છાની છૂપી રીતે આપી દેતા. તે માણસ જાહેરમાં એવો લાગે છે કે તે ઝકાતનો મુસ્તહિક છે પણ હકીકતમાં તે માણસ ઝકાતનો હકદાર નથી, તો ઝકાત આપનારની ઝકાત અદા થશે? અગર ઝકાત અદા ન થાય તો આ માણસ પાસે ઝકાતના પૈસા છે, ઝકાત અદા થઈ જાય તે માટે જાઈઝ તરીકો બતાવવા મહેરબાની કરશો.
જવાબ :– જે માલદાર માણસ કે તેનો વકીલ કોઈ માણસને ઝકાતનો ગેર હકદાર જાણતો હોય અને તે છતાં તેને ઝકાત આપે તો ઝકાત અદા નહિ થાય અને જે માણસે કોઈને હકદાર સમજીને વિચારીને ઝકાત આપી તો ઝકાત અદા થઈ જશે અને ઝકાત લેનારના માલદાર હોવાની ખબર પડયા પછી બીજીવાર ઝકાત આપવી ઝરૂરી નહિ ઠરે, અને લેનાર પાસેથી પાછી લેવામાં નહિ આવે. (બદાઈઅ ભા–ર/૧૬૩)
Log in or Register to save this content for later.