[ર૦૪] મોહતાજે મકાન માટે અરજી આપવી

Chapter : ઝકાત

(Page : 241-242)

સવાલ :– અમારા ગામમાં અમુક વ્યકિતઓ પાસે મકાન બનાવવા માટે બહારથી પૈસા આવે છે, તો શું આપણે તેના પાસે જઈને કહી શકીએ છીએ કે અમને મકાન બનાવી આપો, તો શું આ સવાલ કરવો ગણાશે?

               સવાલ તો આપણે ફકત અલ્લાહથી કરી શકાય. અમે મુસ્તહિક છે અને મકાનની ઝરૂરત છે તો આપણે માંગણી ન કરીએ ત્યાં સુધી ખબર કેવી રીતે પડે કે આપણને મકાનની ઝરૂરત છે.

જવાબ :– મજબૂરી વગર માત્ર માલદાર બનવા માટે અને માલ વધારવા માટે સવાલ કરવો હરામ અને લઅનતપાત્ર છે.

(શામી–ર/૬૯)

               હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે જે માણસ લોકોથી પોતાનો માલ વધારવાના હેતુથી સવાલ કરે, તો તે માણસ આગના અંગારાનો સવાલ કરી રહયો છે, ચાહે થોડો માલ માંગે કે વધુ માલ માંગે.                                       (મુસ્લિમ શરીફ – ૧/૩૩૩)

               હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે જે માણસ લોકોથી સવાલ કરતો ફરે છે તે કિયામતના દિવસે એવી હાલતમાં આવશે કે તેના ચહેરા ઉપર ગોશ્તની એક બોટી પણ નહિ હોય.    (મુસ્લિમ–૧/૩૩૩)

               માલિક, ખાલિક અને મુખ્તાર માનીને તો ફકત અલ્લાહ તઆલાથી જ સવાલ જાઈઝ છે, બીજી કોઈ મખ્લૂકથી જાઈઝ નથી પરંતુ ઝરૂરતમંદ અને મોહતાઝ માટે કોઈ માણસને ખાલિક માલિક અને મૂખ્તાર માન્યા વિના પોતાની દીની – દુન્યવી ઝરૂરતો માટે સવાલ કરવો અથવા તેને પોતાની ઝરૂરતની જાણ કરવી જાઈઝ છે અને ઘર વિહોણા ગરીબ માટે રહેવાનું ઘર તેની અસલી ઝરૂરતોમાંથી છે.        (શામી–ર)

Log in or Register to save this content for later.