[ર૦૩] મકતબમાં ઝકાત ખર્ચ કરવી

Chapter : ઝકાત

(Page : 240-241)

સવાલ :–  હમારા ગામમાં (નવાપૂર, જિઃ નંદુરબાર) મદ્રસામાં ઝકાતના રૂપિયા હીલો કરીને વાપરવામાં આવે છે. હમારા ગામમાં આ વર્ષે ૭૦૦ થી ૮૦૦ સફીરો ચંદા માટે આવેલા અને અંદાજે રૂપિયા ૧૪ થી ૧પ લાખ ઝકાતના લઈ ગયા. બીજા એક ગામમાં ત્રણ લાખ પચાસ હજાર ઝકાતના રૂપિયા લઈ ગયા. હવે હમારા ગામમાં ચંદો કરવામાં આવે છે. તેમાં પાંચ લાખની આસપાસ ઝકાતનો ચંદો થાય છે, હમારા ગામમાંથી ૧પ થી ૧૮ લાખ રૂપિયા ઝકાતના બહારગામ જાય છે અને કેટલાક ભાઈઓ પોતાના ઝકાતના રૂપિયા બહારગામ, દારૂલ ઉલૂમમાં અલગથી મોકલે છે, તો આ પરિસ્થિતીમાં ઝકાતનો ચંદો કરી હીલો કરી વાપરવામાં આવે તો ચાલે કે કેમ? હમો ઝકાતના રૂપિયા આપીએ તો ઝકાત અદા થઈ જશે કે કેમ ?

જવાબ :– માશાઅલ્લાહ આપની આબાદીને અલ્લાહ તઆલાએ ખૂશહાલી અને માલદારી ની નેઅમતથી નવાઝેલ છે, કે જયાંના મુસ્લિમો ફકત ચંદામાં લગભગ ર૩ લાખ રૂપિયા ઝકાત રૂપે આપે છે, આપના મદ્રસામાં માલદારોના બચ્ચાઓ પઢે છે, માટે સ્થાનિક મદ્રસાના નિભાવ માટે ઝકાતની રકમ ન આપવી જોઈએ અને આવી માલદારોની આબાદીના મદ્રસામાં હીલો કરી ઝકાતની રકમ ન ઉપયોગ કરવી જોઈએ. બલ્કે લિલ્લાહ રકમથી મકામી મદ્રસાનો નિભાવ ખર્ચ પૂરો કરવો જોઈએ.                       (શામી–ર)

Log in or Register to save this content for later.