[ર૦ર] મંડળીમાં ડૂબી ગયેલ ઝકાતના રૂપિયા

Chapter : ઝકાત

(Page : 239-240)

સવાલ :– સદર કમીટીએ ઝકાતના અમૂક રૂપિયા એક સહકારી મંડળીમાં મુકયા છે જે બેંક હવે બંધ થઈ ગઈ છે. તો આવા ડૂબી ગયેલ ઝકાતના રૂપિયાનું શું?

જવાબ :–બયતુલમાલમાં ઝકાત આપવાથી અને તે રકમ જમા કરેલ બેંકના બંધ થઈ જવાથી મળી નહિ તો ચાલશે, પરંતુ ઝકાત આપનારે આ સૂરતમાં ફરીથી ઝકાત આપવી એ એહતિયાતની વાત છે.

               બયતુલ માલ કમીટી બેંકમાં ઝકાતની રકમ જમા કરાવવા બદલ અને હકદારોને ન પહોંચાડી બેંકમાં રોકી રાખવાથી ડૂબી જવા બદલ ગુનેહગાર ઠરશે અને તેમણે એટલી રકમ પોતાની પાસેથી ગરીબોને આપી દેવી જોઈએ.     (શામી–ર)

Log in or Register to save this content for later.