Chapter : ઝકાત
(Page : 235)
સવાલ :– દીની ઈદારાઓમાં લિલ્લાહ, ઝકાત, સદકહ વગેરે આપવું અફઝલ છે અથવા ગામના ગરીબ, મુહતાઝ, હાજતમંદ બેવાઓને આપવું અફઝલ છે ?
જવાબ :– ઝકાત, સદકહ આપવામાં વધુ ગરીબાઈને પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને ગરીબોની જીવન પધ્ધતિ અને વ્યવસાયને પણ નઝર સમક્ષ રાખવી જોઈએ, માટે આ બંને પાસાઓના આધારે પોતાના ફર્ઝ વાજિબ અને નફલ સદકહનો ઉપયોગ કરવો જોઈએ. દીની ઈદારામાં પઢતા તલબામાં ઘણા ગરીબ તલબા હોય છે, અને તે જે તે ગામના ગરીબ ગામ વાસીઓ અને તેઓની જ અવલાદ હોય છે. (શામી –ર/૬૮,૬૯)
Log in or Register to save this content for later.