[૧૯પ] ઝકાતમાં જુનું ઘડિયાળ આપવું

Chapter : ઝકાત

(Page : 232)

સવાલ :– અમારી ઘડિયાળની દુકાન છે અમારી પાસે સેકન્ડ હેન્ડ ઘડિયાળો પડેલી છે, અમો ઝકાત પેટે ઝરૂરતમંદોને પૈસાના બદલે એ ઘડિયાળ આપી શકીએ કે નહિ ?

જવાબ :– ઝકાતરૂપે જૂની ઉપયોગ લાયક ઘડિયાળો આપવી પણ જાઈઝ છે, પરંતુ ઝકાતના હિસાબમાં મઝકૂર ઘડિયાળોની એટલી કિંમત ગણવી જોઈએ જેટલી કિંમતમાં તે બજારમાં છુટક ભાવથી મળી શકે, તેથી વધુ કિંમત ગણવી દુરૂસ્ત નથી અને ઘડિયાળ કરતા રોકડ રકમ આપવી વધુ બેહતર છે.                                    (શામી–ર)

Log in or Register to save this content for later.