Chapter : ઝકાત
(Page : 231-232)
સવાલ :– અમારે ત્યાં એક બહુ જ ગરીબ વસ્તીનો મહોલ્લો છે તે વસ્તીમાંથી ચાર સાથી ચાર મહિના જમાઅતમાં જવા તૈયાર છે પરંતુ બુહ જ ગરીબ હોવાથી પૈસા ન હોવાથી જઈ શકતા નથી તો આવા સાથીઓને ઝકાતના પૈસા આપી પૈસાના માલિક બનાવી જમાઅતમાં મોકલી શકાય કે નહિ ? તેઓ ખરેખર ઝકાત લાયક છે તો શું ઝકાત આપનાર વ્યકિતની ઝકાત અદા થશે કે નહિ ?
જવાબ :– ઝકાતના હકદાર મુસ્લિમ ભાઈઓને ઝકાતની રકમ માલિકી ધોરણે આપવાથી ઝકાત અદા થઈ જશે અને તે લોકો એ રકમ જમાઅતના ખર્ચમાં વાપરી શકે છે. (શામી–ર)
Log in or Register to save this content for later.