[૧૯૩] નમાઝનો ફિદયહ રિશ્તેદારને આપવો

Chapter : ઝકાત

(Page : 230-231)

સવાલ :– મારા નાના ભાઈ અચાનક હાર્ટ એટેકથી ૪૯ વર્ષની ઉંમરે અલ્લાહને પ્યારા થઈ ગયા છે. હવે મારે તેમની છૂટી ગયેલી નમાઝોનો ફિદયહ આપવાનો છે તે મારે કઈ રીતે આપવો? એકી સાથે આપવો કે મારી સગવડ પ્રમાણે જેમ જેમ આવક આવતી જાય તે રીતે આપું. એમાંથી ગરીબો તેમજ નઝદીકના સગાને આપી શકાય કે કેમ? કોને કોને આપી શકાય? કેટલી આપવી તેની વિગત જણાવશો.

જવાબ :–એક દિવસની છ નમાઝોનો ફિદયહ આપવો જોઈએ અને એક નમાઝના ફિદયહમાં એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં કે તેની કિંમત આપવી જોઈએ, મઝકૂર ફિદયો એક સાથે આપવો અને સગવડ મુજબ છૂટો છૂટો આપવો પણ જાઈઝ છે. જે રિશ્તેદારને મર્હુમ સાથે બાપ, બેટા, પૌત્રા, નવાસા, બેટી, પૌત્રી, નવાસી અને દાદા હોવાનો રિશ્તો હોય તેને મર્હૂમની નમાઝોનો ફિદયહ આપવો જાઈઝ નથી. એવી જ રીતે શૌહર બીવીનો રિશ્તો હોય તો પણ આપવો જાઈઝ નથી. પરંતુ મર્હૂમની વફાત પછી તેની વિધવાને આપવો જાઇઝ છે.               (શામી – ૧)

Log in or Register to save this content for later.