[૧૯૧] ઝકાતના ચંદાથી ખાદ્ય સામગ્રી વહેંચવી

Chapter : ઝકાત

(Page : 229-230)

સવાલ :– અમારા ગામમાં વેલફેર કમીટી રમઝાન માસમાં ઝકાતની રકમ ગામ લોકો પાસેથી ઉઘરાવે છે, સદર ઝકાતની રકમમાંથી ઈદના તહેવાર નિમિત્તે ચોખા, ગોશ્ત, દૂધ, ખાંડ, સિકરમો વિગેરના ઈદ પેકેટ બનાવી ગરીબોમાં વહેંચે છે, જાણમાં આવ્યા મુજબ ”ઝકાત ની રકમ” મુસ્તહિકને આપીને માલિક બનાવી દેવો, આ સંજોગોમાં ઉપર જણાવેલ ઈદ પેકેટનું વહેંચવું શું યોગ્ય છે ? ઝકાત આપનારની ઝકાત અદા થઈ જાય? સિહાહે સિત્તાની કિતાબોનો હવાલો આપી જવાબ આપશો.

જવાબ :– ઝકાતની રકમ આપનાર માલદાર ભાઈઓથી એવી ચોખવટ કરી ઝકાત લેવી કે અમો આ રકમથી ઈદના તહેવારમાં કામ આવતો ખાવા પીવાનો સામાન ખરીદીને ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમોને માલિકી ધોરણે વહેંચીશું. તો આ સૂરતમાં ઝકાતના હકદાર ગરીબોને મઝકૂર પેકેટો માલિકી ધોરણે આપવાથી ઝકાત આપનાર ભાઈઓની ઝકાત અદા થઈ જશે. તેઓની ઈજાઝત વગર મઝકૂર રકમથી સામાન ખરીદવો દુરૂસ્ત નથી.                       (શામી–ર)

               મઝકૂર ફુડ પેકેટ વહેંચવા કરતા રોકડ રકમ આપી દેવી બેહતર છે. તાકે ગરીબ પોતાની ઝરૂરતની વસ્તુઓ ખરીદી શકે.

Log in or Register to save this content for later.