[૧૮૭] ઝકાતની રકમનો ડ્રાફટ

Chapter : ઝકાત

(Page : 224)

સવાલ :– પરીએજ  જીઃભરૂચમાં ધી પરીએજ મુસ્લિમ વેલફેર સોસાયટી નામની સંસ્થા આવેલી છે, જેનો રજી.નંબર બી / ૯૩પ ભરૂચ છે. મઝકૂર સંસ્થા લોકોપયોગી કામો જેવા કે ગરીબોની દવા, ઓપરેશન, શાદી અંગે મદદ, ભણવા – પઢવા માટેની સહાય, અકસ્માતના સમયે ગરીબોની આર્થિક મદદ વગેરે કામો કરે છે.  આ સંસ્થામાં લિલ્લાહ, ઝકાત, સદકા અને વ્યાજની રકમ પણ લોકો તરફથી મળે છે, જે તે રકમ યોગ્ય હકદારોને રોકડ સ્વરૂપે પહોંચાડવામાં આવે છે.

               ૧૯૯૬–૧૯૯૭ ના વર્ષમાં યુ.કે.થી બેંક મારફત નાણાં આવેલા છે. જેમાં ઝકાતની રકમ પણ શામેલ છે. પરદેશથી બેંક મારફત આવતી રકમ ઉપાડવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી મેળવવી ઝરૂરી બને છે આ માટેની કાર્યવાહી અમોએ કરેલી, પરંતુ ફોર્મ બદલાતા ફોર્મ પાછુ આવ્યું અને ત્યાંથી નવું ફોર્મ આવેલું જે અમે ભરીને મોકલ્યું છે.

               ઝકાતની રકમ અમારા માટે ગત રમઝાનમાં ઉધરાવેલ પણ કાયદાની દ્રષ્ટિએ એ રકમ પણ હજૂ છૂટી થઈ નથી, જો રમઝાન પહેલા મંજૂરી ન મળે તો એ ઝકાતની રકમને વર્ષ પૂરૂ થાય તો આ સૂરતમાં ઝકાત આપનારની ઝકાત અદા થશે કે કેમ?

જવાબ :– મઝકૂર રકમ છૂટી થઈને જયાં સુધી સોસાયટીના પ્રમુખના કબઝામાં ન આવે અને હકદારો સુધી ન પહોંચે ત્યાં સુધી ઝકાત આપનારની ઝકાત અદા થયેલી નહિ ગણાય.                 (શામી–ર)

Log in or Register to save this content for later.