Chapter : ઝકાત
(Page : 220)
સવાલ :– સોના, ચાંદીના દાગીના જે આપણી પાસે હોય છે તો તેની ઝકાત બજારના ખરીદીના ચાલુ ભાવ પ્રમાણે ગણવી કે પછી જે તે વખતના વેચાણ ભાવ પ્રમાણે ગણવી અને દર વર્ષે વપરાયેલા દાગીનાનો ઘસારા ખર્ચ બાદ થાય કે નહિ તથા દર વર્ષે તેની ઘડાઈ પ્રમાણે ઝકાત કાઢવી કે કેમ?
જવાબ :– માલદારના સોના–ચાંદીની ઝકાતમાં જે તે વખતનો વેચાણભાવ ગણવામાં આવશે અને સોની પાસે તેનું વઝન કરાવીને અથવા પોતે વઝન કરીને હિસાબ કર્યા પછી તેમાંથી ઘસારા ખર્ચ બાદ કરવામાં નહિ આવે, ઝકાતમાં ઘડાઈ ખર્ચનો એઅતિબાર નહિ થાય, માત્ર સોના ચાંદીના વઝનનો જ એઅતિબાર કરવામાં આવશે. (શામી–ર)
Log in or Register to save this content for later.