[૧૭પ] મય્યિતનું દેવું ઝકાતથી ચૂકવવું

Chapter : ઝકાત

(Page : 213-214)

સવાલ :–  એક માણસનો ઈન્તિકાલ થઈ ગયો તેના શિરે લાંબુ કર્ઝ છે. હવે તેની પાસે પોતાની જે અંગત મિલ્કત છે તે પૂરી મિલ્કતથી કર્ઝ અદા કરવા છતાં પણ તેના શિરે લગભગ ૪૬૦૦૦/– રૂપિયા જેટલું કર્ઝ બાકી રહે છે. હવે એક પાર્ટી પાસે ઝકાત ત્થા વ્યાજની રકમ છે તે પાર્ટી આ રકમથી મર્હુમનું કર્ઝ અદા કરવા માંગે છે તો ઝકાત અને વ્યાજની રકમથી મરનારનું કર્ઝ અદા કરી શકાય કે કેમ? અથવા મર્હુમે પોતાના પાછળ એટલી મિલ્કત છોડી નથી કે મર્હૂમનું બધું કર્ઝ અદા કરી શકાય તો હવે બાકી પડતા કર્ઝની અદાયગી માટે વારસદારો ઝિમ્મેદાર ખરા? તફસીલથી જવાબ આપશો.

જવાબ :– ઝકાત અને વ્યાજની રકમથી મરનારનું દેવું અદા કરવું જાઈઝ નથી. જો અદા કરવામાં આવશે તો ઝકાત અદા નહિ થાય.    (શામી–ર)

               મરનારે પોતાની માલિકીની એટલી મિલ્કત ન છોડી હોય કે તેનું પૂરે પૂરૂં દેવું ભરપાઈ થઈ શકે તો બાકી પડતા કર્ઝની અદા કરવાની જવાબદારી તેના વારસદારોની નથી. તેઓ સ્વેચ્છાએ અદા કરવા ચાહે તો અદા કરી શકે છે અને કોઈ ત્રીજો માણસ લિલ્લાહ રકમથી મરહૂમનું કર્ઝ અદા કરવા ચાહે તો પણ અદા કરી શકે છે.

Log in or Register to save this content for later.