[૧૭૪] વેપારના માલની ઝકાતના હિસાબની રીત

Chapter : ઝકાત

(Page : 212-213)

સવાલ :– વેપાર ધંધા માટે માર્કેટના ભાવો પ્રમાણે માલનું ખરીદ વેચાણ થાય છે, વખતો વખત ખરીદ વેચાણના ભાવ વધઘટ થતા રહે છે. તદુપરાંત માલના ખરીદ વેચાણના ભાવો ઉપર સરકાર તરફથી કોઈ જાતનું બંધારણ કે કન્ટ્રોલ નથી. વર્ષ પૂરૂં થતા ઝકાત અદા કરવા માટે પૂરા માલનો સ્ટોક લઈને કયાં અને કેવા હિસાબથી ઝકાત અદા કરવી?

જવાબ :–  માલદાર માણસના ઝકાતપાત્ર માલ ઉપર જયારે ઈસ્લામી તારીખ મુજબ ઝકાતનું વર્ષ પૂરૂં થઈ જાય ત્યારે હાજરમાં જે રોકડ રકમ, સોનું ચાંદી અને વેપારના માલનો જે  સ્ટોક હોય તેમાંથી કર્ઝ હોય તો તે બાદ કરીને જે માલ બાકી રહે તેનો ચાળીસમો ભાગ ઝકાત પેટે આપવો ફર્ઝ થાય છે, હવે જો સોના–ચાંદી અને વેપારના માલને બદલે રોકડ ચલણથી ઝકાત અદા કરવી હોય તો ઝકાતનું વર્ષ પૂરૂં થવાના અને ઝકાત વાજિબ થવાના દિવસે બજારમાં સોના – ચાંદી અને વેપારના માલની જે કિંમત પ્રચલિત હોય તે કિંમતથી સોના – ચાંદી અને વેપારના માલની કિંમત આંકી સોએ અઢી રૂપિયાના હિસાબે ઝકાત અદા કરવાની રહેશે. ચાહે અદા કરવાના દિવસે માલની કિંમત તે દિવસની કિંમતથી ઓછી અથવા વધી ગઈ હોય કે જે દિવસે  વર્ષ પૂરૂં થવાથી ઝકાત વાજિબ થઈ હોય, દા.ત. કોઈ વેપારી માણસનું ઝકાતનું વર્ષ પહેલી રમઝાનમાં પૂરૂં થયું હોય અને તે દિવસે વેપારના માલની કિંમત કવિન્ટલે પ૦૦ રૂપિયા હોય અને તે ઝકાત અદા કરી રહયો હોય શવ્વાલમાં, જયારે તેના માલની કિંમત વધીને કવિન્ટલે પપ૦ રૂપિયા થઈ ગઈ હોય અથવા ઘટીને ૪પ૦ રૂપિયા થઈ ગઈ હોય  તો તેણે પોતાના સ્ટોક માલની ઝકાત કવિન્ટલે પ૦૦ રૂપિયાના હિસાબે જ અદા કરવી પડશે અને સ્ટોક પહેલી રમઝાનના હતો તેટલા જ સ્ટોકની ઝકાત અદા કરવી પડશે. સ્ટોકમાં જે માલનો વધારો પહેલી રમઝાન બાદ થયો હોય તે વધારાના સ્ટોકની ઝકાત ચાલુ સાલે નહિ અદા કરવી પડે.   (શામી–ર)

Log in or Register to save this content for later.