Chapter : ઝકાત
(Page : 209-210)
સવાલ :– એક સાહિબે નિસાબ હર સાલ બએઅતેબારે સાલે અંગ્રેજી ઝકાત દેતા હૈ, લેકિન સાલે ઈસ્લામી કે મુકાબલેમેં હર સાલ મેં ૧૦ દિન ઔર હર પેંતીસ સાલમેં એક સાલકી કમી હોતી હય, તો યે દસ દિન ઔર એક સાલકી ઝકાત કિતની દી જાએ, ઈસકા ઝિમ્મેદાર કોન હૈ? અદા ઝકાતમેં કિસ સનકા એઅતેબાર કિયા જાએ ? સાલે અંગ્રેજી કે એઅતેબાર સે ઝકાત દેના જાઈઝ હે યા નહીં?
જવાબ :– ઝકાતપાત્ર નિસાબના પ્રમાણમાં માલના માલિક ઉપર કમરી ઈસ્લામી વર્ષ પૂરૂં થતા ઝકાત વાજિબ થાય છે, ઝકાતના વાજિબ થવામાં ઈસ્લામી વર્ષનો જ એઅતેબાર છે. શમ્સી અંગ્રેજી વર્ષનો એઅતેબાર નથી, માટે દરેક વર્ષે ઝકાતનું વાજિબ પ્રમાણ નકકી કરવા માટે ઈસ્લામી વર્ષ મુજબ હિસાબ કરવો ઝરૂરી છે કારણ કે જો અંગ્રેજી વર્ષ પ્રમાણે ઝકાતનો હિસાબ કરવામાં આવશે તો ઝકાતનું વાજિબ પ્રમાણ નકકી કરવામાં ગુંચવણ ઉભી થવાનો ભય છે, કારણ કે ઝકાતનું પહેલું ઈસ્લામી વર્ષ પૂરૂં થયા પછીના પહેલા દસ દિવસોમાં અને બીજું ઈસ્લામી વર્ષ પૂરૂં થયા પછીના પહેલા વીસ દિવસોમાં અને ત્રીજું ઈસ્લામી વર્ષ પૂરૂ થયા પછીના પહેલા ત્રીસ દિવસોમાં જો ઝકાતપાત્ર માલ ઉપયોગમાં લેવાથી ઘટી ગયો હશે, તો તે દસ – વીસ – ત્રીસ દિવસો પછી ઝકાતનો હિસાબ કરવાથી ઝકાતનું પ્રમાણ વાજિબ કરતા ઓછું નકકી થશે અને જો મઝકૂર વધારાના દિવસોમાં માલિક પાસે ઝકાતપાત્ર માલ વધી ગયો હશે, તો તે દસ – વીસ – ત્રીસ દિવસો પછી ઝકાતનો હિસાબ કરવાથી ઝકાતનું પ્રમાણ વાજિબ કરતા વધારે નકકી થશે. ખુલાસો એ કે ઝકાત ઈસ્લામી વર્ષ પ્રમાણે જ વાજિબ થાય છે અને ઝકાતનું સહીહ પ્રમાણ નકકી કરવા માટે ઈસ્લામી વર્ષ પૂરૂં થવા ઉપર જ હિસાબ કરી લેવું ઝરૂરી છે, અને ઈસ્લામી વર્ષ પ્રમાણે ઝકાતનો હિસાબ કરી લીધા પછી બે ચાર મહિને અદા કરવામાં આવે તો પણ વાંધો નથી. (શામી–ર, કિ.મુફતી – ૪)
Log in or Register to save this content for later.