Chapter : ઝકાત
(Page : 199-200)
સવાલ :– એક માણસ ગરીબ છે. તેની મદદ માટે એક સાહેબે બયતુલખલા બનાવવા માટે વ્યાજના પૈસા આપ્યા જેનાથી ગરીબ માણસે ટોયલેટ બનાવી લીધું, પરંતુ થોડાજ સમયમાં ખુદાએ પોતાની કુદરતથી રોજીમાં બરકત આપી અને તે સાહિબે નિસાબ બની ગયો તો હવે મઝકૂર માણસથી ટોયલેટ વાપરી શકાય કે નહિ? અને વાપરવું જ હોય તો શું તરકીબ કરવી પડે? બીજી બાજુમાં એવી જગ્યા પણ નથી જયાં બીજું બનાવી શકે અને જગ્યા હોય તો શું કરવું ? તેમજ વ્યાજના નાણાંથી બનેલા ટોયલેટનો માલદારો ઉપયોગ કરી શકે કે નહિ?
જવાબ :– ગરીબ હોવાની હાલતમાં કોઈએ વગર સવાબની નિય્યતે આપેલ રકમથી બનાવેલું ટોયલેટ પોતે માલદાર થઈ ગયા પછી પણ પોતાની જ માલિકીનું ગણાશે અને તેનો ઉપયોગ વિના કોઈ તદબીરે માલદાર બની ગયા પછી પણ જાઈઝ અને દુરૂસ્ત ગણાશે. તેના ઉપયોગ માટે કોઈ તદબીર કરવાની ઝરૂરત નથી અને ગરીબીની હાલતમાં આવી રકમથી બનાવવામાં આવેલું ગરીબનું ટોયલેટ બીજા માલદાર માણસો પણ તેની ઈજાઝતથી ઉપયોગ કરી શકે છે.
Log in or Register to save this content for later.