Chapter : ઝકાત
(Page : 197-198)
સવાલ :– એક માણસ અમૂક ગરીબો માટે માલદારો પાસેથી સદકએ વાજિબહ અને નાફિલહ વસૂલ કરવાનો અને તેઓની ખાવા પીવા વગેરેની ઝરૂરતોનો બંદોબસ્ત કરવાનો વકીલ છે. તે વકીલના મામૂર અને નાયબ તરીકે બીજો એક માણસ માલદારો પાસેથી એક ખાસ માલના રૂપમાં સદકાત વસૂલ કરે છે અને પોતાના અસીલ ગરીબો માટે તે ખાસ માલ ઉપયોગી ન હોવાથી તે માલને વકીલની મંજૂરીથી રોકડ કિંમતથી વેચી આપે છે અને તે માલના ચાલતા બે ભાવોમાંથી ઓછા ભાવમાં વેચી આપે છે અને પછી તેની કિંમત પોતાના અસીલ ગરીબોની ઝરૂરતોમાં ઉપયોગ કરે છે તો આ સૂરતમાં ઝકાત આપનારની પૂરી ઝકાત અદા થશે કે નહિ અને આ પ્રમાણે ખરીદ વેચાણ જાઈઝ છે કે નહિ?
જવાબ :– ગરીબનો વકીલ અથવા વકીલનો નાયબ જયારે માલદાર પાસેથી તે ખાસ માલ વસૂલ કરી લેશે તો માલદારે જેટલા માલની ઝકાત પેટે તે માલ આપ્યો છે તેટલા માલની પૂરી ઝકાત અદા થઈ જશે અને વસૂલ કર્યા પછી વકીલ અથવા વકીલનો નાયબ કોઈ મજબૂરીના કારણે તે માલ ઓછા ભાવથી વેચીને તેની કિંમત પોતાના અસીલ ગરીબોની ઝરૂરતોમાં ઉપયોગ કરશે તો એ જાઈઝ ગણાશે. (ઈ.મુફતીન, ઈ.ફતાવા–૬)
Log in or Register to save this content for later.