[૧પ૭] ભેંસોના દૂધની આવક પર ઝકાત

Chapter : ઝકાત

(Page : 195-196)

સવાલ :– અમારે ત્યાં અમુક ખેડૂતો ખેતી સાથે દૂધ ભરવાનો ધંધો કરે છે. બે ત્રણ ભેંસો પોતાની માલિકીની ઉપરાંત બે ત્રણ ભેંસો બેંક લોનથી ખરીદી એ ભેંસોનું દૂધ ગામમાં દૂધ મંડળીમાં ભરે છે. જેનાથી રોજની સરેરાસ આવક રૂપિયા દોઢસો મુજબ માસિક આવક ૪પ૦૦ થતી હોય છે. જેમાંથી બેંકના હપ્તા ભરવાના હોય છે, તો એવા ખેડૂતોની આ રીતે થતી ઉપજ ઉપરાંત અમૂક ખેડૂતો કે જેની તમામ ભેંસો પોતાની માલિકીની હોય જેમાં બેંકના હપ્તા કે કાંઈ ભરવાનું ન હોય, અને આ રીતે થતી ઉપજ હોય તો શરીઅતની રૂએ આવી થતી આવક ઉપર ઝકાત લાગુ પડશે કે નહિ અને લાગુ પડશે તો સહીહ તરીકો જણાવી રહબરી કરશો. મઝકૂર ધંધા બાબતે આપની સહીહ રાય બતાવશો.

જવાબ :– બેંક લોનથી અથવા પોતાની માલિકીની મૂડીથી ભેંસો લઈને દૂધનો ધંધો કરનાર માણસ સોના–ચાંદી અથવા ભેંસોના દૂધની આવક સિવાય બીજા કોઈ ઝકાત પાત્ર માલથી સાહિબે નિસાબ હોય તો તે નિસાબનું ઝકાતનું ઈસ્લામી વર્ષ પૂરૂં થવાની સાથે ભેંસોના દૂધની આવકની જમા રકમની પણ ઝકાત આપવી પડશે અને જો ભેંસોના દૂધની આવક સિવાય બીજો કોઈ ઝકાત પાત્ર નિસાબ ન હોય તો જયારે ભેંસોના દૂધની આવક મૂડી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર થઈ જાય અને તેના ઉપર ઈસ્લામી વર્ષ વીતી જાય તો હવે તેની ઝકાત આપવી પડશે.       (શામી – ર)

Log in or Register to save this content for later.