[૧પર] જો ગરીબ માલદાર બની જાય

Chapter : ઝકાત

(Page : 187-188)

સવાલ :–  એક માણસનું ગુજરાન ફકત નોકરી ઉપર જ છે, બીજી કોઈ આવક નથી અને સાહિબે નિસાબ પણ નથી, પરંતુ રમઝાન માસમાં લોકો ખૈર ખૈરાતથી મદદ કરે છે અને તે રકમ ચાર હજાર જેટલી થઈ જાય છે. હવે પૂછવાનું એ કે હમારા સાંભળવા પ્રમાણે જો કોઈ માણસ પાસે રૂા રપ૦૦/–થી ૩૦૦૦/– જેટલી રકમ હોય તે સાહિબે નિસાબ થઈ જાય છે તો મઝકૂર માણસને ઉપર મુજબની રકમ થઈ ગયા પછી ઝકાત આપનારની ઝકાત શું અદા નહિ થાય? મઝકૂર માણસ ૪૦૦૦/– માંથી પૂરા વર્ષની જરૂરિયાત પૂરી કરે છે, પૈસા રહેતા નથી. તો સાહિબે નિસાબ જેટલી રકમ થવા પછી

ઝકાત લઈ શકે કે નહિ અને દેનારની ઝકાત અદા થાય કે નહિ?

જવાબ :– જે માણસ શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય અને લોકો પાસેથી ઝકાતની રકમ મળવાથી એટલી રકમ ભેગી થઈ જાય કે તે રકમ સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર અથવા તેથી વધુ હોય અને તેના શિરે કોઈનું દેવું ન હોય તો આટલા પ્રમાણમાં રકમ તેની માલિકીમાં તેની પાસે ભેગી થવાથી તે શરીઅતની રૂએ માલદાર ગણાશે. હવે તે ઝકાત ન લઈ શકે અને જો કોઈ તે પછી ઝકાત આપશે તો આપનારની ઝકાત અદા નહિ થાય, હાં, તે નિસાબની પૂરેપૂરી રકમ ઝરૂરતોમાં વપરાય જાય અથવા એટલી વપરાય જાય કે નિસાબના પ્રમાણમાં બાકી ન રહે તો રકમ આ પ્રમાણે વપરાશમાં આવ્યા બાદ તે ફરી ગરીબ ગણાશે અને ઝકાત લઈ શકશે જયાં સુધી કે ફરીવાર નિસાબના પ્રમાણમાં ઝકાત ભેગી ન થઈ જાય.               (શામી – ર)

Log in or Register to save this content for later.