[૧૩૯] બાપની ઝકાત બહેનને આપવી

Chapter : ઝકાત

(Page : 177-178)

સવાલ :– મારા વાલિદ સાહેબ હયાત હોય બધુ જ વાલિદ સાહેબના નામ ઉપર ચાલતું હોય, પરંતુ કારોબાર હું (મોટો છોકરો) ચલાવતો હોય તો શું હું મારા વાલિદ સા.ની જમીનમાંથી જે ખેતી પાકે તેનું ઉશ્ર હું મારી ગરીબ બહેનને આપી શકું છું કે નહિ? તેમજ મારા વાલિદ સાહેબની મિલ્કતની ઝકાત હું મોટો છોકરો વહીવટકર્તા હોવાના કારણે ઝકાત મારી ગરીબ બહેનને આપી શકું છું કે કેમ?

જવાબ :– સવાલમાં લખાણથી માલૂમ પડે છે કે ખેત ઉત્પાદન અને ઝકાતપાત્ર માલ સામાનના અસલ માલિક તો તમારા વાલિદ સાહેબ જ છે તમો તો હાલ ફકત ખિદમતની રૂએ વહીવટ કરો છો એટલે એ ઉશ્ર અને ઝકાત તમારા વાલિદ સાહેબના જ ગણાશે અને બાપની પેદાવારનું ઉશ્ર (ખેતીની ઝકાત) અને માલની ઝકાત અવલાદને આપવી જાઈઝ નથી. માટે પૂછેલી સૂરતમાં તમો ઉશ્ર ઝકાત બહેનને આપી શકતા નથી.                    (દુ.મુખતાર શામી/૬ર)

Log in or Register to save this content for later.