[૧૩૭] તાલિબે ઈલ્મને ઝકાત આપવી

Chapter : ઝકાત

(Page : 176)

સવાલ :– ઝકાત, ફિતરા અને સદકહની રકમ મદ્રસાઓમાં આપવી જોઈએ કે પછી મુસ્લિમ સમાજના અમુક હકદારોને આપવી જોઈએ કારણ કે મદ્રસાઓ માટે દેશ પરદેશમાં ચંદા પણ થતા હોય છે જયારે કે અમુક હકદારો પોતાની મજબૂરી બીજા સામે જાહેર કરતા પણ અચકાય છે, તો આવી હાલતમાં આ રકમ કઈ જગ્યાએ અદા કરવાની વધુ ફઝીલત અને સવાબ છે?

જવાબ :– મોટા દીની મદ્રસાઓ કે જયાં છોકરાઓને દાખલ કરી તેમનો ખાવાનો, કપડાંનો, હાથ ખર્ચનો બંદોબસ્ત કરવામાં આવે છે, ત્યાં પણ ઘણાં ગરીબ છોકરાઓ હોય છે જે કોઈનાથી પોતે સવાલ કરતા નથી, મદ્રસાના વ્યવસ્થાપકો તેમની વ્યવસ્થા માટે ચંદામાં ઝકાતની રકમ વસૂલ (કબૂલ) કરે છે અને ગરીબ તાલિબે ઈલ્મો જે દીની ઈલ્મ હાસિલ કરતા હોય તેમને ઝકાત આપવી અફઝલ અને વધારે સવાબનું કામ છે. દુર્રે મુખ્તારમાં એની ચોખવટ છે, જો કે બીજા મોહતાજ ગરીબોને ઝકાત આપવાથી પણ અદા તો થઈ જશે.

وکرہ نقلھا الا الی ۔۔۔۔۔ او احوج او اصلح او اورع او الی طالب علم وفی المعراج التصدق علی العالم الفقیر افضل۔

Log in or Register to save this content for later.