[૧૩૪] હકદારને આપ્યા વગર ઝકાતથી તેનું કર્ઝ ચૂકવવું

Chapter : ઝકાત

(Page : 174)

સવાલ :– ઝકાતની રકમ ઝકાતના હકદાર મુસલમાનના હાથમાં આપ્યા વગર કોઈ હોસ્પિટલના એકાઉન્ટમાં તે હકદારના નામે જમા કરવામાં આવે અથવા તેના નામે કોઈ સ્કૂલ કે કોલેજના એકાઉન્ટમાં અથવા તેના નામે અનેક દુકાનોના ખાતામાં જમા કરવામાં આવે, જયારે કે તે હકદાર બિમાર હોય, અથવા સ્કૂલ કે કોલેજનો વિદ્યાર્થી હોય, તો આ પ્રમાણે ઝકાતના હકદારના નામે તેના ખાતામાં ઝકાતની રકમ જમા કરાવવાથી ઝકાત આપનારની ઝકાત અદા થશે કે નહિ? આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવે છે કે શકય છે કે જો મઝકૂર હેતુઓમાંથી કોઈ હેતુમાં વાપરવા માટે ઝકાતની રકમ ઝકાતના હકદારના હાથમાં આપવામાં આવે તો તેનાથી અન્ય કામમાં વપરાય જાય અને તેના શિરે દેવું જેમનું તેમ બાકી જ રહે, ઉપરોકત સૂરતમાં તેના નામે ઝકાતની રકમ જમા કરાવવાથી જે તે ખાતાવાળા તરફથી તેના નામની જમા રકમની રસીદો પણ મળે છે. તો શરઈ દ્રષ્ટિએ ઝકાત બાબત આવી કાર્યવાહી જાઈઝ છે કે નહિ?

જવાબ :– પૂછેલી સૂરતમાં કોઈ સંસ્થામાં કે વ્યકિત પાસે કોઈ ઝકાતના હકદાર ગરીબ મુસ્લિમના નામે ઝકાતની રકમ જમા કરાવતાં પહેલાં તે ગરીબથી રકમ જમા કરાવવાની રજા લઈ લેવામાં આવે અને પછી તેના નામે રકમ જમા કરાવવામાં આવે તો એ જાઈઝ છે અને આ સૂરતમાં ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે.          (શામી –ર)

Log in or Register to save this content for later.