[૧૦૦] સુગર ફેકટરીના શેરની ઝકાત

Chapter : ઝકાત

(Page : 140)

સવાલ :– (૧) સુગર ફેકટરી ખેડૂતોના સભ્યોથી બનાવવામાં આવે છે, એમાં જે ખેડૂતો જમીન ધરાવતા હોય તે જ સભ્ય બની શકે છે. ખેડૂતોએ એના માટે શેરો ખરીદવા પડે છે.  શેર વગર ફેકટરીમાં શેરડી નાંખી શકાતી નથી. શેર લે–વેચ માટે અથવા નફા માટે લેવામાં આવતા નથી તો શું આ શેરની ઝકાત કાઢવી પડશે? શેરની બજાર કિંમત પેપરોમાં આવતી નથી તો ઝકાત કાઢવાની થતી હોય તો કયા હિસાબે ઝકાત કાઢવી પડશે? શેર પર ડીવિડંડ મળતું નથી.          (ઓલપાડ)

જવાબ :– (૧) સુગર ફેકટરીના શેરોની ઝકાત આપવી ઝરૂરી છે અને ઝકાતનું વર્ષ પુરું થાય ત્યારે શેરની જે કિંમત ચાલતી હોય અને તે કિંમતમાંથી જેટલો ભાગ ફેકટરીના માલની લે–વેચમાં રોકાયેલો  હોય તેટલા ભાગની મૂડીની ઝકાત આપવી પડશે.                (શામી–ર)

Log in or Register to save this content for later.