[૧ર૭] જે વખતમાં મુસાફિર કે મુકીમ બને તે વખતની નમાઝનો હુકમ

Chapter : નમાઝ

(Page : 168-169)

સવાલ :– એક માણસ કંથારીઆથી સફરની નિય્યત કરી રવાના થાય છે અને જયારે તે રવાના થાય છે ત્યારે ઝોહરની નમાઝનો વખત શરૂ થઈ ચૂકયો છે, પરંતુ બસ ન મળવાની બીકે કંથારીઆથી રવાના થતાં પહેલાં ઝોહરનો વખત હોવા છતાં તે માણસ રસ્તામાં ઝોહરની નમાઝ અદા કરવા ચાહે છે તો તે માણસે મજકૂર ઝોહરની નમાઝ કસર પઢવી પડશે કે પૂરી પઢવી પડશે અને આ માણસ સફરથી પાછો ફરે ત્યારે તેનો સફર કયાં પહોંચીને પૂરો થયેલો ગણાશે અને નમાઝનો શું હુકમ રહેશે ?

જવાબ :– મજકૂર માણસ કંથારીઆ ગામની આબાદીના ઘરોથી બહાર નીકળ્યા પછી ઝોહરની નમાઝ એકલા અથવા મુસાફિર ઈમામ સાથે પઢે તો તેણે કસર નમાઝ પઢવાની રહેશે. ચાહે ઝોહરની નમાઝનો વખત શરૂ થયો ત્યારે તે મુસાફિર ન હતો, મુકીમ હતો, પરંતુ નમાઝ પઢતી વખતે તે મુસાફિર બની ચૂકયો છે એટલે નમાઝ કસર પઢવી પડશે.

               મજકૂર માણસ જ્યારે સફરથી પાછો ફરી પોતાની આબાદીના ઘરો સુધી પહોંચી જશે તો તેનો સફર પૂરો થયેલો ગણાશે અને જે નમાઝનો સમય ચાલી રહ્યો હોય જો તેણે તે નમાઝ આબાદીમાં પહોંચતા પહેલાં પઢી ન હોય તો હવે તે નમાઝ પૂરી પઢવી પડશે, કારણ કે તે મુકીમ બની ચૂકયો છે.                          (‘શામી ૧/પ૩ર)

Log in or Register to save this content for later.