[૧૩૩] લિલ્લાહ રકમનો વકીલ દીકરી, જમાઈને આપી શકે

Chapter : ઝકાત

(Page : 173)

સવાલ :– મારા રિશ્તેદારો તરફથી મને લિલ્લાહ રકમ મળતી રહે છે. લિલ્લાહ રકમ કોને અને કેટલી આપવી તેનો મને અધિકાર મળેલ છે. તે રકમ હું મારી સમજ મુજબ મસ્જિદ, મદ્રસા અને સગાં–સંબંધીઓને આપું છું. મઝકૂર લિલ્લાહ રકમમાંથી થોડી રકમ હું મારી દીકરી, જમાઈ અને નિકટના સગાઓને બક્ષિશ આપું તો શરઈ દ્રષ્ટિએ કોઈ વાંધો ખરો?

જવાબ :– મઝકૂર રકમમાંથી કોઈ ભાગ તમે પોતાની દીકરી, જમાઈ અને નિકટના સગાઓને પણ આપી શકો છો, પરંતુ પોતાના તરફથી બક્ષિશ હોવાનું જાહેર ન કરવામાં આવે.          (શામી ભાગઃ ર/૧૧)

Log in or Register to save this content for later.