Chapter : ઝકાત
(Page : 138-139-140)
સવાલ :– અમીના બીબી અંદાજે ૧૯૪૪માં ઈન્ડિયા છોડી બચ્ચાઓ સાથે પરદેશ ગયા ત્યારે તેઓ થોડીક સોના – ચાંદીની જણસો ઈન્ડિયામાં મૂકી ગયા. અમીનાબીબીનો ઈન્તિકાલ પરદેશમાં ૧૯૯રમાં થયો તેમજ ૧૯૯૭માં મર્હૂમહ અમીનાબીબીના વારસદારોની ટપાલ મળી કે હમારી મર્હૂમહ માં ની જણસ જે છે તે વેચી ૧૯૯ર થી ૧૯૯૭ સુધીની ઝકાત આપવી, એ પ્રમાણે હમારી મર્હૂમહ માંએ આખરી વખતમાં વસિય્યત કરી હતી, પરંતુ અમુક કારણોના લઈ ૧૯૯૭માં એ જણસ વેચાણ કરી નથી અને એ મર્હૂમહ અમીનાબીબીની જણસો હમણા ર૦૦પના જૂન માસમાં વેચી જેની કિંમત રૂપિયા ર,૧૬,૦૦૦/– મળ્યા છે.
મર્હૂમહ અમીનાબીબીનો ઈન્તિકાલ ૧૯૯રમાં થયો, વારસદારો ૧૯૯ર થી ૧૯૯૭ સુધી ઝકાત દેવાનું લખે છે, તો શરઈ દ્રષ્ટિએ શું કરવું અને કેટલા વર્ષની ઝકાત આપવી, શરઈ હિસાબ કરી જણાવશો.
જવાબ :– પૂછેલી સૂરતના જવાબમાં પ્રથમ એ બાબત સમજી લેવી જોઈએ કે ૧૯૯રમાં અમીનાબીબીની વફાત પછી મઝકૂર જણસોના માલિક અમીનાબીબીના વારસદારો થઈ ગયા છે, જો અમીનાબીબીના વારસદારો બધાજ બાલિગ હોય અને બધા જ માલદાર હોય અને તે બધાએ સર્વ સંમતિથી તમોને તે જણસો વેચવાનો અને ૧૯૯ર થી ૧૯૯૭ સુધીની ઝકાતના (પત્રમાં લખ્યા મુજબ) વકીલ બનાવ્યા હોય તો તમોએ જણસો વેચી એ બરાબર છે અને લખવા મુજબ તમો છ વર્ષની ઝકાત પણ આપી શકો છો અને ઝકાતના હિસાબ માટે જે તે વર્ષના સોના ચાંદીનો બજાર ભાવ જાણવો પડશે અને તે વર્ષના ભાવના હિસાબે મઝકૂર જણસો જેટલી કિંમતની હતી તેના અઢી ટકા લેખે ઝકાત અદા કરવી પડશે અને બીજા વર્ષના ભાવ મુજબ થતી કુલ કિંમતમાંથી પહેલા વર્ષની ઝકાતની રકમ બાદ કરીને બીજા વર્ષની ઝકાતનો હિસાબ કરવામાં આવશે અને ત્રીજા વર્ષની કિંમતમાંથી આગલા બે વર્ષોની ઝકાતની રકમ બાદ કરીને ત્રીજા વર્ષની ઝકાતનો હિસાબ કરવામાં આવશે અને એ જ પ્રમાણે છ વર્ષોની ઝકાતનો હિસાબ કરી ઝકાત અદા કરવામાં આવશે. (શામી – પ)
૧૯૯૭થી ર૦૦પ સુધીની ઝકાત આપવાના તમને વકીલ બનાવ્યા નથી એટલે મર્હૂમહ અમીનાબીબીના બધા વારસદારોની રજા વગર તે વર્ષોની ઝકાત આપવી તમારા માટે જાઈઝ નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.